જેમને વધારે ઊંઘવાની આદત છે, તેમણે તૈયાર રહે આ બીમારીઓ માટે!
[લાઇફસ્ટાઇલ] વધારે ઊંઘવું અથવા ઓવરસ્લીપિંગ શું છે? રિસર્ચ અનુસાર, એ કહેવામાં આવ્યું છે કે પુખ્તવયના લોકોએ દિવસમાં 7થી 8 કલાકની ઊંઘ ચોક્કસ લેવી જોઇએ. આખી ઊંઘ લેવાથી શરીરમાં ઘણા રોગ નથી થતા અને શારીરિક પ્રક્રિયા પણ સુચારુ રીતે ચાલતી રહે છે.
આની સાથે, રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે વધારે ઊંઘવાથી સમસ્યાઓ પણ થાય છે. જેમ કે ડાયાબીટીસ, મેદસ્વીપણુ, હૃદય સંબંધી બીમારીઓ વગેરે..
જો કોઇ પણ વ્યક્તિ 8 કલાકથી વધારે ઊંઘ લે છે તો તેને સલાય છે કે આટલું બધું ઊંઘવું તેમના સ્વાસ્થ્ય માટે સારુ નથી. વધારે ઊંઘવાથી થનારી બીમારીઓ અને અને અન્ય આડઅસરથી આપને અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.

મેદસ્વીપણુ
જે લોકો આઠ કલાક કરતા વધારે ઊંઘ લે છે તેમના શારીરિક વજનમાં 25 ટકાનો વધારો થાય છે. એવામાં વજન ઘટાડવાની કોશીશમાં લાગેલા લોકોએ વધારે સતર્ક રહેવાની જરૂરીયાત છે.

કમરનો દુ:ખાવો
વધારે ઊંઘવાથી આપની કમર લાંબા સમય સુધી સીધી રહે છે અને આ કારણે જ દુ:ખાવો થવા લાગે છે. તેનાથી કરોડરજ્જુ પર ખરાબ અસર પડે છે.

માથાનો દુ:ખાવો
લિમિટથી વધારે ઊંઘવાના કારણે માથાનો દુ:ખાવો થવો સામાન્ય વાત છે. જો આપ ઊંઘ્યા પછી પણ માથાનો દુ:ખાવાની ફરિયાદ કરો છો તો સમજી લો કે આપને હેડેક, વધારે ઊંઘવાના કારણે થાય છે, નહીં કે કોઇ તણાવના કારણે.

ડિપ્રેશન
વધારે ઊંઘવાથી આપ દિવસ પરના કામોમાં સામજસ્ય નથી બેસાડી શકતા અને તે કારણે આપની દિનચર્યા બગડી જાય છે, જેના કારણે આપ ડિપ્રેશન હોવાના ચાંસીસ વધી જાય છે. જો આપને ડિપ્રેશન જેવું અનુભવાય તો દૈનિક કાર્યોમાં ખુદને વ્યસ્ત રાખો.

હૃદય માટે ખરાબ
વધારે ઊંઘ લેવાથી હૃદયને લગતી ઘણી બીમારી થઇ શકે છે. એક સર્વે અનુસાર, જે લોકો 8 કલાકથી વધારે ઊંઘે છે, તેમના શરીરમાં કોરોનરી હાર્ટ ડિસીઝ થવાનો ભય વધી જાય છે.

અલ્ઝાઇમર
વધારે ઊંઘવાથી સ્મરણ શક્તિ ઓછી થાય છે અને અલ્ઝાઇમરની ફરિયાદ થઇ જાય છે. જે વૃદ્ધાવસ્તાનો સંકેત છે. દિવસમાં આરામ કરવો અલગ વાત છે પરંતુ સમય કરતા વધારે ઊંઘવું એ ખોટી વાત છે.

ગર્ભ ધારણ કરવામાં સમસ્યા
જો આપ માતા બનવા ઇચ્છતી હોવ તો દિવસના સમયે વધારે ઊંઘવું નહીં. શોધ અનુસાર, જે મહિલાઓ 9થી 10 કલાક ઊંઘે છે, તેઓ ઓછું કન્સીવ કરી શકે છે.

ડાયાબીડીસ
વધારે ઊંઘવાથી સૌથી વધારે ખતરો ડાયાબીટીસ થવાનો રહે છે કારણ કે શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ અસંતુલીત થઇ જાય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
