જાણો: પરસેવામાંથી કેમ આવે છે દુર્ગંધ
ઘણાં લોકોના શરીરમાંથી પરસેવાની ખુબ જ ગંદી વાસ મારતી હોય છે. શું તમે જાણો છો કે પરસેવામાંથી દુર્ગંધ કેમ આવે છે? આપને જણાવી દઈએ કે પરસેવાની ગંધ આપોઆપ નથી આવતી પણ ઘણાં કારણો હોય છે.
એક્સપર્ટના જણાવ્યા મુજબ જ્યારે શરીર પરના બેક્ટેરીયા પરસેવાના સંપર્કમાં આવે છે, ત્યારે ખુબ જ ગંદી વાસ મારે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી હોવી, પરસેવામાંથી દુર્ગંધનું સૌથી સામાન્ય કારણ છે.
જો શરીર ડીહાઈડ્રેટ છે તો ચામડી પર થતા પરસેવામાંથી દુર્ગંધ આવશે. આવી જ રીતે અનેક એવા કારણો છે કે જેના કારણે શરીરમાંથી પરસેવાની વાસ આવે છે. આવો જાણીએ તે કારણોને.....

તણાવ
જ્યારે શરીરમાં તણાવની પરિસ્થિતિ હોય છે, ત્યારે શરીરમાં ખુબ જ પરસેવો થાય છે. તણાવની પરિસ્થિતિમાં શરીરમાંથી એક પ્રકારનું હોર્મોન રિલીઝ થાય છે જે કપડા સાથે મળીને પરસેવામાં દુર્ગંધ ઉત્પન્ન કરે છે.

કપડા
જો તમને વધુ પડતો પરસેવો થતો હોય તો પોલીયેસ્ટરના કપડા ન પહેરવા તમારા માટે હિતાવહ છે.

પરફ્યુમ
કેટલાક પરફ્યુમમાં એન્ટી બેક્ટેરીયલ ગુણધર્મો નથી હોતા. તેવામાં આ પ્રકારના પરફ્યુમ્સના કારણે બેક્ટેરીયલ ગ્રોથ શરૂ થઈ જાય છે અને શરીરમાંથી દુર્ગંધ આવવાની શરૂ થાય છે.

દવાઓ
જો તમે નિયમીત રીતે દવાઓનું સેવન કરતા હોવ, તો દવાઓમાં જે તત્વો હોય છે તેના કારણે પણ શરીરમાંથી વાસ આવે છે.

પોષણનો અભાવ
ક્યારેક શરીરમાં પોષણના અભાવે પણ પરસેવામાં દુર્ગંધ આવે છે. જો આપના શરીરમાં મેગ્નેશિયમ ઓછા પ્રમાણમાં હોય તો પણ વાસ આવી શકે છે.

લો કાર્બ ડાયેટ
જો શરીરમાં કાર્બ ડાયેટનો અભાવ હોય તો પણ પરસેવાની વાસ આવતી હોય છે. આહારમાં કાર્બ વાળા પદાર્થો લેવા જોઈએ.

ગળપણ ખાવાના કારણે
જ્યારે તમે વધુ પડતુ ગળ્યું ખાવાનું ખાવ છો ત્યારે પણ પરસેવામાંથી ગંધ મારતી હોય છે. ગળપણ શરીરમાં yestની માત્રાને વધારે છે અને ખાંડને લીકરની વાસમાં પરિવર્તિત કરે છે.

શૌચ ક્રિયાની આદત
શોધ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે નિયમીત ક્રિયાઓને વધુ સમય સુધી રોકી રાખવામાં આવે ત્યારે પણ તેની અસર પરસેવા પર થતી હોય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
