કોરોના વાયરસના 9 સૌથી ખાસ લક્ષણ, રોગીને થાય છે આ સમસ્યા
કોરોના વાયરસના 9 સૌથી ખાસ લક્ષણ, રોગીને થાય છે આ સમસ્યા
કોરોના વાયરસ અત્યારસુધીમાં લગભગ 6 લાખ લોકોને શિકાર બનાવી ચુક્યો છે. વિશ્વભરના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે, જેના કારણે દર્દીઓની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. આ કારણથી મોટી સંખ્યામાં લોકો ઝપેટમાં આવી રહ્યા છે. જો કે, ડબ્લ્યુએચઓએ અત્યારસુધીમાં કેટલાક લક્ષણો દર્શાવ્યા છે, જેના આધારા તમે આ જીવલેણ વાયરસની ઓળખ કરી શકો છો.
કોરોનાના લક્ષણ
કોરોના પ્રભાવિત વ્યક્તિને પહેલા પાંચ દિવસમાં સુકી ઉધરસ આવવા લાગેે છે અને ફેફસામાંં ઝડપથી કફ જામવા લાગે છે.
કોરોનાના લક્ષણ
દર્દીને તાવ આવે છે અને શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. ઘણા બધા એક્સપર્ટ કોરોનાથી વધારે તાવ ચડતો હોવાનું જણાવી ચુક્યા છે.
કોરોનાના લક્ષણ
કોરોના પ્રભાવિત દર્દીઓને પહેલા 5 દિવસમાં શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. વૃદ્ધોમાં શ્વાસ ફુલાવાની સમસ્યા શરૂ થતી જોવા મળી છે.
કોરોનાના લક્ષણ
કેટલાક કેસમાં કોરોના વાયરસ પ્રભાવિત પીડિતોમાં શરીરનો દુખાવો જોવા મળ્યો છે. કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ શરીરના સાંધાઓનો દુખાવો થતો હોવાનું પણ દર્દીઓ જણાવી રહ્યા છે.
કોરોનાના લક્ષણ
માંસ પેશિયોના દર્દ સાથે સાથે શરીર તુટવા લાગે છે અને થાકનો અનુભવ થવા લાગે છે.
કોરોનાના લક્ષણ
આ ઉપરાંત કોરોનાના દર્દીઓ ગળામાં તીવ્ર દુખાવો થતો હોવાની ફરીયાદ પણ કરી રહ્યા છે. આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે ગળામાં સોજા આવી જાય છે.
કોરોનાના લક્ષણ
કોરોનાના દર્દીઓના નાકમાંથી સતત પ્રવાહી વહ્યા કરે છે. જે સિઝનલ ફ્લૂ કે શર્દી જેવા જ લક્ષણો ધરાવે છે.
કોરોનાના લક્ષણ
કોરોના વાયરસથી પ્રભાવિત કેટલાક દર્દીઓએ દાવો કર્યો છે તે કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તે શ્વાદ ઓળખવાની શક્તિ ગુમાવી દે છે, એટલે કે સ્વાદેન્દ્રિય કામ કરવાનું બધ કરી દે છે.
શું કોરોના વાયરસ થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું, ભારત સરકારે આ જવાબ આપ્યો