ધુમ્રપાન વિશેની ખોટી ધારણાઓ, જાણવી જરૂરી છે
[સ્વાસ્થ્ય] શું આપ ધુમ્રપાન કરો છો? જો હા તો આપ જાણો છો કે સ્મોકિંગથી આપના જીવનના દસ વર્ષ ઓછા થઇ જાય છે. દુ:ખની વાત છે કે આપના આવનારા દસ બર્થડે આ સ્મોકિંગની લતના કારણે નહીં આવી શકે. જોકે સ્મોકિંગને છોડવું મુશ્કેલ તો છે પરંતુ અશક્ય નથી. જો આપ મક્કમતાથી નિર્ણય કરી લો તો આપ સ્મોકિંગ શોડી શકો છો.
જો આપ ઉંમરના કોઇપણ પડાવમાં સ્મોકિંગ છોડી દેશો તો તેનાથી આપની આયુષ્ય વધશે અને કેંસર જેવી ખતરનાખ બીમારીઓ નહીં થાય. એટલા માટે હજી પણ મોડું નથી થયું.
શું આપને ખબર છે કે આપ આપના ઘરવાળાઓની પાસે રહીને સ્મોકિંગ કરીને તેમના જીવનને પણ ખતરામાં નાખી રહ્યા છો. તેમની પર પડનાર પેસિવ સ્મોકિંગનો આ પ્રભાવ એક્ટિવ સ્મોકિંગ કરતા પણ વધારે નુકસાનકારી છે. જો આપ આપના પરિવારની સાથે એક ખુશાલ જીવન જીવવા માંગતા હોવ તો એક ઝેરીલા ધુમાળાથી દૂર રહો અને પોતાના કિંમતી ફેંફસાની રક્ષા કરો.
સિગરેટ છોડવા અંગે લોકોના મનમાં ઘણી ખોટી ધારણાઓ છે, જેના કારણે તેઓ સ્મોકિંગની લતને છોડી નથી શકતા. અમે આપને એવી જ ખોટી ધારણાઓ બતાવી રહ્યા છીએ.

માત્ર નિકોટિન જ
લોકો કહે છે કે સિગરેટમાં નિકોટિન જ નુકસાનકારી છે. પરંતુ માત્ર નિકોટિન જ નહીં પરંતુ એવા હજારો હાનિકારક તત્વ સિગરેટમાં આવેલા છે. તેમાંથી 50 એવા છે જેનાથી કેંસર થઇ શકે છે.

ઓછી કરવાથી શરીરને નુકસાન નહીં થાય
કેટલાંક લોકો માને છે કે સિગરેટની માત્રા ઓછી કરવાથી શરીરને ઓછું નુકસાન થશે. ઘણા બધા અધ્યયનોથી એ ખબર પડી છે કે માત્ર તેની માત્રા ઓછી કરવાથી શરીર માટે સારુ નથી. એવું કરવાથી સિગરેટની તલબ વધારે લાગે છે. તો પણ આપ જો છોડવા માંગતા હોવ અને માત્રા ઓછી કરી છે તો તે ઠીક છે.

હેલ્દી ડાઇટ લેવાથી નુકસાન નહીં થાય
સ્મોકિંગ કરનારાઓ માને છે કે તેઓ હેલ્થી ડાઇટ લેવાથી તેમના શરીર પર સ્મોકિંગની અસર નહીં થાય. તે સંપૂર્ણ રીતે ખોટું છે. સિગરેટમાં રહેલા કેમિકલ્સ શરીરના અંગો પર પ્રભાવ પાડે છે, તેને સંપૂર્ણ ખરાબ કરી નાખે છે. તેની કોઇ ભરપાઇ નથી.

લાઇટ સિગરેટ હાનિકારક નથી
જે લોકો લાઇટ સ્મોકિંગથી શરૂઆત કરે છે તેઓ બાદમાં વધારે હાર્ડ સ્મોકિંગ કરવા લાગી જાય છે. જોકે લાઇટ સ્મોકિંગના પેકેટ પર ઓછી હાનિકારકનું લેબલ લાગેલું હોય છે પરંતુ તેનાથી પણ લોકોને આદત પડી જાય છે.

આવ વર્ષ થઇ ગયા હવે છોડીને શું ફાયદો
કેટલાંક લોકો એવું માને છે કે તેઓને સ્મોકિંગ કરતા આટલા વર્ષો થઇ ગયા હવે છોડીને શું ફાયદો. પરંતુ ઉંમરના કોઇપણ પડાવમાં આપ સ્મોકિંગ છોડી શકો છો. જો આપ સ્મોકિંગ છોડશો તો બીમારીઓથી થનારા નુકસાન 90 ટકા સુધી ઓછું કરી શકાય છે.

છોડવાથી માત્ર એક જ ફાયદો છે
એવું નથી, સ્મોકિંગ છોડવાના ઘણા ફાયદા છે. તેનાથી કેંસર જેવી ખતરનાખ બીમારીનો ભય ઓછો થઇ જાય છે, સાથે સાથે આપ માનસિક રીતે પણ વધારે જાગૃત રહો છો. શારીરિક રીતે વધારે એક્ટિવ રહો છો, અને ભોજનનો સ્વાદ પણ વધારે આવે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
