બુદ્ધિશાળી બનવા માટે અપનાવો આ ઉપાય...
વૉશિંગ્ટન, 6 સપ્ટેમ્બર: જ્યારે આપ ઊંઘતા હોવ છો ત્યારે આપોના મસ્તિષ્કમાં કેટલાંક જીન જાગૃત થઇ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મસ્તિષ્કની જાળવણી માટે અને તેના વિકાસ માટે આ જીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકામાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાથી વિશિષ્ટ મસ્તિષ્ક કોશિકાઓનું નિર્માણ ઝડપી થાય છે. આ કોશિકાઓને ઓલિગોડેંડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે, જે મસ્તિષ્કની ચારે બાજું સુરક્ષા કવચ તૈયાર કરે છે.
બુદ્ધિમાન બનવું હોય તો ઊંડી ઊંઘ સાથે દોસ્તી સ્વસ્થ મસ્તિષ્કમાં ઓલોગોડેંડ્રોસાઇટ્સ સાઇલીન સુરક્ષાત્મક કવચનું નિર્માણ કરે છે. આ કંઇક એવું જ કવચ હોય છે, જેમકે વીજળીના તારોનું રોધક કવચ હોય છે. માઇલીન વિદ્યુત વેગોને ત્વરિતરૂપે એક કોશિકાથી બીજી કોશિકામાં પહોંચાડવામાં મદદ કરે છે.
'સાયન્સ ડૈલી' અનુસાર 'ધ જર્નલ ઓફ ન્યૂરોસાયન્સ'ના 4 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત પશુઓ પર થયેલા એક સંશોધન અનુસાર આ પરિણામ મસ્તિષ્કની મરામત અને તેના વિકાસમાં ઊંઘની ભૂમિકાના સંબંધમાં વૈજ્ઞાનિકોને નવી જાણકારીઓ એકઠી કરવામાં મદદ કરશે.
વૈજ્ઞાનિક વર્ષોથી એ જાણતા હતા કે જીન ઊંઘ દરમિયાન સક્રિય થઇ જાય છે, જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે તે સુપ્ત અવસ્થામાં જતા રહે છે.
વર્તમાન અધ્યયન મેડિસનના વિસ્કોન્સિયન વિશ્વવિદ્યાલયની કાઇરા સિર્લી અને તેમના સાથિઓએ કર્યો છે. જેમાં તેમણે ઊંઘતા અને જાગતા ઉંદેડાઓમાં ઓલિગોડેંડ્રોસાઇટ્સ જીનોની સક્રિયતા માપી.
સંશોધનકર્તાઓના એક ગ્રુપે જાણ્યું કે ઊંઘ દરમિયાન માઇલીન નિર્માણ સાથે જોડાયેલા જીન સક્રિય થઇ જાય છે. આની વિરુદ્ધ કોશિકા મૃત્યુ અને કોશિકીય તણાવ પ્રક્રિયા તરફ ઇશારા કરનાર જીન જાનવરોના જાગવા દરમિયાન જ જાગૃત થઇ જાય છે.
સ્વિટઝર્લેન્ડના લોસેન વિશ્વવિદ્યાલયમાં નિંદ્રા અધ્યયનકર્તા મેહદી તાફ્તીએ જણાવ્યું કે 'આ પરિણામ ઇશારા કરે છે કે ઊંઘ અને અનિંદ્રા મસ્તિષ્કની કેવી રીતે મરામત કરે છે અથવા તેને નુકસાન પહોંચાડે છે.'

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
જ્યારે આપ ઊંઘતા હોવ છો ત્યારે આપોના મસ્તિષ્કમાં કેટલાંક જીન જાગૃત થઇ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મસ્તિષ્કની જાળવણી માટે અને તેના વિકાસ માટે આ જીન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
અમેરિકામાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાથી વિશિષ્ટ મસ્તિષ્ક કોશિકાઓનું નિર્માણ ઝડપી થાય છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
આ કોશિકાઓને ઓલિગોડેંડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે, જે મસ્તિષ્કની ચારે બાજું સુરક્ષા કવચ તૈયાર કરે છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
બુદ્ધિમાન બનવું હોય તો ઊંડી ઊંઘ સાથે દોસ્તી સ્વસ્થ મસ્તિષ્કમાં ઓલોગોડેંડ્રોસાઇટ્સ સાઇલીન સુરક્ષાત્મક કવચનું નિર્માણ કરે છે

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
માઇલીન વિદ્યુત વેગોને ત્વરિતરૂપે એક કોશિકાથી બીજી કોશિકામાં પહોંચાડવામાં મદદ કરે છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
સાયન્સ ડૈલી' અનુસાર 'ધ જર્નલ ઓફ ન્યૂરોસાયન્સ'ના 4 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત પશુઓ પર થયેલા એક સંશોધન અનુસાર આ પરિણામ મસ્તિષ્કની મરામત અને તેના વિકાસમાં ઊંઘની ભૂમિકાના સંબંધમાં વૈજ્ઞાનિકોને નવી જાણકારીઓ એકઠી કરવામાં મદદ કરશે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
વૈજ્ઞાનિક વર્ષોથી એ જાણતા હતા કે જીન ઊંઘ દરમિયાન સક્રિય થઇ જાય છે, જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે તે સુપ્ત અવસ્થામાં જતા રહે છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
સંશોધનકર્તાઓના એક ગ્રુપે જાણ્યું કે ઊંઘ દરમિયાન માઇલીન નિર્માણ સાથે જોડાયેલા જીન સક્રિય થઇ જાય છે. આની વિરુદ્ધ કોશિકા મૃત્યુ અને કોશિકીય તણાવ પ્રક્રિયા તરફ ઇશારા કરનાર જીન જાનવરોના જાગવા દરમિયાન જ જાગૃત થઇ જાય છે.












Click it and Unblock the Notifications
