જાણો વ્યંધ્યત્વ અંગે કેટલીક જાણી-અજાણી વાતો!
સામાન્ય રીતે ગર્ભ ધારણ કરવામાં અસમર્થતાની સ્થિતિને વ્યંધ્યત્વ કહેવાય છે. વ્યંધ્યત્વ કોઇ મહિલાની એ અવસ્થાને પણ કહેવાય છે જેમાં તે સંપૂર્ણ સમય સુધી ગર્ભ ધારણ નથી કરી શકતી. એક વર્ષ સુધી કોશિશ કરવા છતાં પણ ગર્ભ ધારણ નહીં થઇ શકવાને વ્યંધ્યત્વ કહેવાય છે. અથવા છ મહીના જો મહિલાની ઉંમર 35 વર્ષ અથવા વધારે છે. તે મહિલાઓ જે ગર્ભ ધારણ કરી શકે છે પરંતુ પૂરા સમય સુધી ગર્ભવતી રહી શકતી નથી, તે વ્યંધ્યત્વ હોઇ શકે છે.
વ્યંધ્યત્વ હંમેશા એક મહિલાની જ સમસ્યા નથી હોતી. પુરુષ અને મહિલા બંનેમાં આ સમસ્યા હોઇ શકે છે, જેના કારણે વ્યંધ્યત્વ હોય છે. લગભગ એક તૃતિઆંશ મામાલામાં મહિલાઓની સમસ્યાઓના કારણ તેના માટે જવાબદાર હોય છે. અન્ય એક તૃતિયાંશ ફર્ટિલિટી મામલામાં પુરુષોના કારણ હોય છે.
બાકી મામલામાં પુરુષ અને મહિલા બંનેની સમસ્યાઓના કારણ હોય છે. અન્ય એક તૃતિયાંશ ફર્ટિલિટી મામલાઓ પુરુષોના કારણે થાય છે. બાકી મામલા પુરુષ અને મહિલા બંનેની સમસ્યાઓના મિશ્રણ અથવા તો કોઇ અજ્ઞાત સમસ્યાઓના કારણે થાય છે.
વ્યંધ્યત્વ અંગે જાણવા જેવી વાતો...
1
પોતાના તણાવને નિયંત્રિત કરવો અતિ આવશ્યક છે, કારણ કે આનાથી ગર્ભધારણની સંભાવના વધી જાય છે. જો આપ ગર્ભ ધારણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ અંગેનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે. તણાવને દૂર રાખો, પોતાના પરિવાર અને મિત્રોની સાથે સમય વિતાવવાની કોશિશ કરો. પુસ્તકો વાંચો અને પોતાની પ્રતિબદ્ધતાઓને પ્રાથમિકતા આપો.
2
આજે પણ મહિલા વ્યંધ્યત્વને સમજવું અપેક્ષિત રીતે સરળ છે કારણ કે મોટાભાગના મામલામાં સમસ્યા અંગે માલૂમ હોય છે.
3
ધ્યાન આપો કે આપ શું નથી જમી રહ્યા, જો આપ જમી રહ્યા છો, તો તેની પર નિયંત્રણ રાખો. બેસ્ટ ફર્ટિલિટી આહાર અને બેસ્ટ ફૂડ અંગે જાણકારી મેળવો. પોતાના ડોક્ટરો પાસેથી સલાહ લે કે ભોજન પહેલા શું છોડવાની જરૂરીયાત છે. એ નક્કી કરી લો કે પર્યાપ્ત આહાર ફર્ટિલિટી વધારવા માટે સહાયક થાય છે.
4
લગભગ 15થી 18 વ્યંધ્યત્વ મામલા ટ્યૂબલ રોગના કારણે થાય છે જેનો અર્થ છે કે આપની ફૈલોપિયન ટ્યૂબ બ્લોક્ડ છે જેનું તમારે પરિક્ષણ કરાવવાની જરૂર છે.
5
ઉંબરનો વ્યંધ્યત્વ સાથે સીધો અને ખાસ સંબંધ હોય છે. યુવાવસ્થામાં શારિકીક તાકત, પ્રતિકારક ક્ષમતા, ઇમ્યૂનિટી તથા હોર્મોનલ લેવલ ચરમ પર હોય છે અને માટે આ મુદ્દા પર વિચાર કરવો મહત્વુપૂર્ણ છે. ઉંમર વધવાની સાથે હવે આપણે જીવનશક્તિ અને શ્થિરતા ઓછી થવા લાગે છે. માટે વ્યંધ્યત્વ ઉપચાર ઓછી ઉમરમાં જ ચાલું કરવું યોગ્ય હોય છે.
6
'ઘણા સંશોધનના અંતે એ સાબિત થાય છે કે ઊંડી ઊંઘ નહીં'' લેવા અને વ્યંધંત્વમાં સહસંભધ છે. માટે આપણે હંમેશા પાર્ટીઓ, કરતા રહેતા હોવ તો આપે જાગૃત થઇ જવું જોઇએ. લાંબાં સમય સુધી મૂળભૂત પરિવર્તનો થાય છે. મોડી રાત સુધી જાગવાથી હોર્મોનલ લેવલમાં મૂળભૂત પરિવર્તનો થાય છે અનો તેનાથી વ્યંધ્યત્વની સમસ્યા વધી જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે લોકો લાંબા સમય સુધી સંપૂર્ણ ઊંઘ નથી લઇ શકતા તેઓ વિભિન્ન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને ઓછી પ્રજનન દરનો સામનો કરે છે. આ શરીરમાં હોર્મોનલ બેલેન્સને પણ પ્રભાવિત કરે છે જે વ્યંધ્યત્વનું એક પ્રમુખ કારણ છે.
7
મૂળ કારણનું નિદાન અને ઉપચાર નક્કી કરવું આ આખી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ વળાંક છે અને વિશેષજ્ઞો દ્વારા આવા વિવિધ મામલાથી લડવાનો અનુભવ એક પ્રમુખ ભૂમિકા અદા કરે છે.
8
સૌથી પહેલા એ માલૂમ કરવું પડશે કે ઓવ્યૂલેશન સામાન્ય છે અથવા પૂર્ણરૂપે અનુપસ્થિતિ છે. ઓવ્યૂલેશન કિટથી ચેક કરવું, શરીરનું તાપમાન રેકોર્ડ કરીને અને પ્રોજેસ્ટોરોનના સ્તરની તપાસ કરવી, આ નિર્ધારિત સમય માટે કરવામાં આવે છે. તે ઘણી વાર અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવે છે.
9
પુરુષ ફર્ટિલિટીનું નિદાન અને ઇલાઝ ખૂબ જ જટિલ છે. શુક્રાણુંની સંખ્યા, શુક્રાંણુની શક્તિ અને અન્ય કારણોને જાણવા માટે વીર્યના નમૂના લેબમાં તપાસ કરવામાં આવે છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નિર્ધારિત કરવા માટે હોર્મોન સ્તરની તપાસ કરવામાં આવે છે. શારીરિક સમસ્યાઓ જેમકે શારીરિક અંગોમાં દોષ, એસટીડી અથવા વીડી, પતિત સ્ખલનની પણ તપાસ કરવામાં આવે છે. અત્રે અમે ગર્ભાવસ્થાને સફળ બનાવવા અને નાના ભૂલકાને દુનિયામાં લાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરે છે.
10
દમ્પતિના સંબંધોમાં તણાવ આવવાથી વ્યંધ્યત્વ સામેની લડત વધુ જટિલ બની જાય છે. બંને પાર્ટનરે પોતાના સંબંધો સાચવી રાખવા જોઇએ અને કોઇ ઝઘડા ના થવા જોઇએ. આ સમય એકબીજાને પૂર્ણરૂપથી શારિરીક, માનસિક અને ભાવનાત્મક સમર્થન આપવાનો છે. પુરુષો માટે આ જવાબદારી બમણી થઇ જાય છે કારણ કે મહિલા સાથીને સાથીએ વધારે શારિરીક પીડા સહન કરવી પડે છે. આ ઉપચારમાં આઇવીએફ ગર્ભધારણના ઘણા ચક્રો, વિભિન્ન પરીક્ષણ અને ઘણી પ્રક્રિયાઓ છે જે મહિલા પર જબરદસ્ત તણાવ બનાવી દે છે.