જાણો: રાત્રે તાવ શા માટે વધી જાય છે
તાવ આવવો એ વાતનો સંકેત છેકે તમારી અંદર કોઇ બિમારીનો પ્રવેશ થયો છે. સાથે જ શરદી અને શરીરના દુખાવાની ફરિયાદ. આ લક્ષણોથી બિમારી અંગે સરળતાથી જાણકારી મળી જાય છે.
પરંતુ એક લક્ષણ છેકે જેમા બિમારી અંગે સરળતાથી ખબર નથી પડતી. જી હા, રાત્રે તાવ આવવો અને દિવસે તાવ ઉતરી જવો. તેનાથી રાત્રે ઉંઘ નથી આવતી અને દિવસે થાકનો અનુભવ થાય છે.
રાત્રે તાવ આવવાના ઘણાં કારણો હોઇ શકે છે. સામાન્ય રીતે લોકો આ લક્ષણની અવગણના કરતા હોય છે. જે સમય જતા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ભલે તમારૂં શરીર તાવના કોઇ લક્ષણ ના બતાવે અને માત્ર રાત્રે જ તાવ આવે. તેમછતા તમારે તમારા ડૉક્ટરને જરૂરથી મળી લેવુ જોઇએ. જો તમને રાત્રે તાવ આવે છે, તો નીચેના કારણોને જરૂરથી વાંચો અને પોતાના ડૉક્ટરને અવશ્ય કહો.

અલર્જી
રાત્રે તાવ આવવાનું એક કારણ કોઇ દવાની અલર્જી થવી હોઇ શકે છે. તેનાથી રાત્રે તાવની સાથે જ શરીરમાં લાલાશ અને સોજા આવવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ વધુ ખતરનાક સાબિત થાય તે પહેલા તમારે ડૉક્ટરની સલાહ લઇ લેવી જોઇએ.

યુ ટી આઇ
રાત્રે તાવ આવવાનું કારણ યુરીનલ ટ્રેક પર સોજો અથવા તો ઇન્ફેક્શન હોઇ શકે છે. આમા પેશાબ કરતી વખતે બળતરા અને દુખાવો પણ થાય છે. તેવામાં કોઇ લાપરવાહી ના કરો અને તરત જ ડૉક્ટરને મળો.

શ્વાસ નળીમાં ચેપ
શરદી અને શ્વાસ નળીમાં ચેપના કારણે ગળામાં દુખાવાના કારણે પણ રાત્રે તાવ આવી શકે છે. ક્યારેક કેટલાક દિવસોમાં સારૂ થઇ જાય છે, પણ જો બેદરકારી રાખવામાં આવે તો આ ચેપ સરળતાથી દૂર નથી થતો.

ચામડીમાં સંક્રમણ
શરીરમાં કોઇપણ પ્રકારનું સંક્રમણ શરીરનું તાપમાન વધારી શકે છે. તેવી જ રીતે જો તમને ચામડીમાં કોઇ સંક્રમણ થયુ છે, તો તમને રાત્રે તાવ આવી શકે છે.

સોજો
શરીરમાં કોઇ પણ પ્રકારની બિમારી કે અલર્જીના કારણે સોજા આવે છે. જેના કારણે તાવ પણ આવી શકે છે. જો આ સ્થિતી વધુ દિવસો સુધી યથાવત રહે તો ડૉક્ટરને મળી લેવુ જોઇએ.

કનેક્ટીવ ટિશુ ડિસૉર્ડર
કનેક્ટીવ ટિશુ ડિસૉર્ડર જેવા રૂમટૉઇડ આથ્રાઇટ્સના કારણે પણ તાવ આવે છે. આ સાથે જ ઘુંટણમાં જોરદાર દુખાવો થાય છે.

તણાવ
આખા દિવસ દરમ્યાન કામ કરવાથી શરીરમાં તણાવ અને થાક હોવાના કારણે પણ રાત્રે તાવ આવે છે. તેથી જ પોતાના શરીર પાસેથી ક્ષમતા કરતા વધુ કામ ના લ્યો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
