હરણ શિકાર પ્રકરણ : સુપ્રીમ કોર્ટની સલમાનને રાહત

નવી દિલ્હી, 24 જાન્યુઆરી : એક મોટા અને રાહતના સમાચાર અભિનેતા સલમાન ખાન માટે આવી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે વર્ષ 1998ના કાળિયાર હરણ શિકાર પ્રકરણથી રાજસ્થાનમાં રમખાણો વકરવાનો તેમની સામેનો આરોપ તથ્યહન છે. તેથી હવે આ આરોપ અંગે કોઈ સુનવણી નહીં થાય. જોકે સુપ્રીમ કોર્ટે એટલું જરૂર કહ્યું કે સલમાન ખાન સામે વન્ય જીવ સંરક્ષણ કાનુન હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ પી. સદાશિવમના પ્રમુખપદ હેઠળની બેંચે ગુરુવારે રાજસ્થાન સરકાર તરફથી દાખલ અરજી ફગાવી દીધી. અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યા બાદ રાજસ્થાનમાં રમખાણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

નોંધનીય છે કે આ સમગ્ર પ્રકરણ 1998નું છે કે જ્યારે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ રાજસ્થાનમાં સૂરજ બરજાત્યાની હમ સાથ સાથ હૈં ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતાં.

સલમાન સહિત ઉપરોક્ત પાંચે કલાકારો સામે સંરક્ષિત કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. રાજસ્થાન સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતું કે શિકારના કારણે જ રાજ્યના લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો હતો અને લોકો બેકાબુ થઈ ગયા હતાં. સુપ્રીમ કોર્ટે આ આરોપને તથ્યહીન ગણાવ્યો છે. અહીં આપને જણાવી દઇએ કે સલમાન સામે જો રમખાણ વાળો આરોપ સાબિત થાત, તો તેમને સખતમાં સખત સજા થાત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X