4 વર્ષમાં જ બોલિવુડ પર છવાઈ ગઈ હતી દિવ્યા ભારતીઃ એક દર્દનાક કહાની
બોલિવુડ અભિનેત્રી દિવ્યા ભારતીએ બહુ થોડા સમયમાં ઘણુ નામ કમાયુ હતુ. જો કે નસીબને કંઈ બીજુ જ મંજૂર હતુ. વર્ષ 1993માં 5 એપ્રિલના રોજ અચાનક તેમનું મૃત્યુ થઈ ગયુ..
બોલિવુડ અભિનેત્રી દિવ્યા ભારતીએ બહુ થોડા સમયમાં ઘણુ નામ કમાયુ હતુ. માત્ર 4 વર્ષોમાં જ તેમણે એ મુકામ મેળવી લીધુ હતુ કે માનવામાં આવતુ કે તેમની ટક્કરમાં બીજુ કોઈ નથી. ખાસ કરીને સુંદરતામાં. જો કે નસીબને કંઈ બીજુ જ મંજૂર હતુ. વર્ષ 1993માં 5 એપ્રિલના રોજ અચાનક તેમનું મૃત્યુ થઈ ગયુ.. અને બોલિવુડનો આ સુંદર સ્ટાર બધા પર પોતાની ચમક છોડી ગયો.

4 વર્ષમાં 21 ફિલ્મો કરી
દિવ્યા ભારતી માત્ર 4 વર્ષનું જ કેરિયર જોઈ શકી અને આ ચાર વર્ષોમાં તેમણે 21 ફિલ્મો કરી. તમે વિચારી શકો છો કે તેમની લોકપ્રિયતા કેટલી રહી હશે. માત્ર 4 વર્ષોમાં 21 ફિલ્મો કોઈ અભિનેત્રીએ નથી કરી. તેમના મૃત્યુ બાદ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ અને ઘણાનું શૂટિંગ અધુરુ રહી ગયુ હતુ અને તેને બીજી અભિનેત્રીએ પૂરુ કર્યુ. જેમાંથી લાડલા શ્રીદેવી, મોહરા રવીના ટંડને પૂરી કરી. નહિતર એ પણ તેમની હિટ ફિલ્મોમાં આવતી.

જે ફિલ્મ સાઈન કરતી તે હિટ થતી
માનવામાં આવતુ હતુ કે દિવ્યા ભારતીનું નસીબ પોતાના સાતમાં આસમાન પર હતુ એટલા માટે તે જે પણ ફિલ્મ સાઈન કરતી હતી તે જરૂર હિટ થતી હતી. સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યા બાદ દિવ્યા ભારતીએ પોતાના કેરિયરના ચરમ પર જ લગ્ન કરી લીધા.

એક વર્ષમાં મોત
1992માં દિવ્યા ભારતીએ જાણીતા ફિલ્મકાર સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના માત્ર એક વર્ષની અંદર જ 5 એપ્રિલ, 1993ના રોજ પોતાના ફ્લેટની બારીમાંથી પડીને દિવ્યા ભારતીનું મોત થઈ ગયુ.

મોત નહિ હત્યા?
તેમના રહસ્યમય મોતે ઈન્ડસ્ટ્રીમાં ત્યારે સનસની ફેલાવી દીધી. તેમનું મોત આજે પણ એક પહેલી છે. અમુક લોકો આ મોતને હત્યા માનતા રહ્યા હતા અને આરોપ લાગ્યો હતો તેમના પતિ સાજિદ નડિયાદવાલા પર.

મૃત્યુ બાદ આ ફિલ્મો આવી
તેમના મોત બાદ ફિલ્મ ‘રંગ', ‘શતરંજ' અને એક તેલુગુ ફિલ્મ પ્રદર્શિત થઈ જે સુપરહિટ સાબિત થઈ.

પહેલી ફિલ્મ
દિવ્યા ભારતીની પહેલી ફિલ્મ વિશ્વાત્મા હતી. તે કેરિયરની બુલંદી પર બહુ જલ્દી પહોંચી ગઈ. તે નવા નિર્દેશકો સાથે કામ કરવા તૈયાર હતી. લાડલા પણ એવી ફિલ્મોમાંથી એક હતી જે બાદમાં શ્રીદેવી સાથે બનાવવામાં આવી હતી કારણકે શ્રીદેવી અને દિવ્યા ભારતીના ફેસ મળતા આવતા હતા.

શાહરુખ ખાનનું ડેબ્યુ
શાહરુખ ખાને પોતાના કેરિયરની શરૂઆત દિવ્યા ભારતી સાથે કરી હતા. તેમની સાથે વધુ એક ફિલ્મ દિલ આશના હે આવી હતી.

લગ્ન
20 મે, 1992ના રોજ સાજિદ અને દિવ્યા ભારતીએ લગ્ન કરી લીધા. લગ્નના થોડા મહિના બાદ જ દિવ્યા ભારતીનું મોત થઈ ગયુ. વર્ષ 2000માં સાજિદ નડિયાદવાલાએ બીજા લગ્ન કર્યા.

મૃત્યુની ગુત્થી
શંકા વ્યક્ત કરવામાં આવી કે તેમણે છત પરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હોય પરંતુ ઘણી લોકો આને આત્મહત્યાની જગ્યાએ હત્યા માને છે. ઘણા પત્રકારે પુરાવા રજુ કરવાનો પડકાર પણ આપ્યો પરંતુ 1998માં કેસ બંધ કરી દેવામાં આવ્યો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
