For Quick Alerts
For Daily Alerts
કાજોલ-અજયના ઘરે પાંચ લાખની જ્વૅલરીની ચોરી
મુંબઈ, 25 ઑક્ટોબર : એક બાજુ ગત 22મી ઑક્ટોબરે સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ કરવા ચોથની ઉજવણીમાં વ્યસ્ત હતાં, તો બીજી બાજુ તે જ દિવસે અજય-કાજોલના ઘરે ચોરી થઈ ગઈ. તેમના ઘરેથી પાંચ લાખના સોનાના પાટલા ચોરી થઈ ગયાં. ચોરી અંગેની જાણ ત્યારે થઈ કે જ્યારે કરવા ચોથની પૂજા માટે કાજોલ તૈયાર થતા હતાં અને તેમને પહેરવા માટે સોનાના પાટલા મળ્યા નહીં.
જોકે અજય દેવગણ અને કાજોલ પહેલી વખત ચોરીના બનાવનો ભોગ નથી બન્યાં. અગાઉ 2008માં પણ તેમના ઘરે ચોરી થઈ હતી અને તેમાં નોકરનો જ હાથ હતો કે જેની છત્તીસગઢમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરેથી પણ ચોરી થઈ હતી. ચોરાયેલ સામાનમાં મ્યુઝિક સિસ્ટમ તથા આઈપૅડનો સમાવેશ થતો હતો.
English summary
Film stars Kajol and Ajay Devgn have filed a complaint of theft of gold bangles from their Juhu bungalow and have told cops they suspect the involvement of an insider.