NCB રિપોર્ટમાં મોટા ખુલાસા, આર્યન ખાન મામલાની તપાસમાં ઘણી ખામીઓ
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)નો રિપોર્ટ સામે આવ્યો છે. એનસીબીના રિપોર્ટમાં આર્યન ખાનના મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. એનસીબીની તપાસમાં જાણવા મળ્યું હતું ક
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)નો રિપોર્ટ સામે આવ્યો છે. એનસીબીના રિપોર્ટમાં આર્યન ખાનના મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. એનસીબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કેસમાં ઘણી ગેરરીતિ થઇ હતી. આ સાથે 7 થી 8 જેટલા અધિકારી-કર્મચારીઓ સતર્કતાને લગતા આક્ષેપો થયા છે.
એનસીબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કેસની તપાસ યોગ્ય રીતે થઈ નથી. કેસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આર્યન ખાનને જાણીજોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આવું કેમ કરવામાં આવ્યું તે હજી એક કોયડો છે. NCBની તપાસ ટીમને આ કેસમાં NCBના 7 થી 8 અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ લાગી છે.
NCB દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ બે કેસમાં આ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. રિપોર્ટમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં કેસની તપાસ માટે અન્ય કેડરમાંથી લાવવામાં આવેલા બ્યુરોના અધિકારીઓ અને NCBની મુંબઈ ઓફિસના અધિકારીઓનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન 65 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડે બ્યુરોના મુંબઈ ઝોનના પ્રાદેશિક નિર્દેશક હતા જ્યારે આર્યન ખાન સામેના તમામ આરોપો રદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આર્યનને NCBએ ગયા વર્ષે ક્રૂઝ શિપ પર દરોડા પાડ્યા બાદ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.
ઘણા અઠવાડિયાની તપાસ પછી NCBએ આર્યન ખાન સહિત છ મુખ્ય આરોપીઓ સામે ડ્રગ કબજાના આરોપો પાછા ખેંચી લીધા હતા. એનસીબીએ આ કેસમાં આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી.