For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FAKE: લગ્ન નથી કરવાના વિરાટ-અનુષ્કા

અનુષ્કા શર્માના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સગાઇની ખબરો ખોટી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગઇ કાલ સાંજથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 1લી જાન્યૂઆરીએ સગાઇ કરવાના છે, એવી અફવાઓએ જોર પકડ્યું છે. પરંતુ અનુષ્કા શર્માના પ્રવક્તાએ આ વાતને અફવા ગણાવતાં કહ્યું છે કે, આ બંન્ને ના તો 1લી જાન્યૂઆરીએ સગાઇ કરવાના છે અને ના તો મેરેજનું કોઇ પ્લાનિંગ છે. વિરાટ-અનુષ્કા હાલ ઉત્તરાખંડમાં રજાઓ માણી રહ્યા છે.

virat anushka

થોડા દિવસો પહેલાં જ આ બંન્ને દહેરાદુનમાં સાથે જોવા મળ્યા હતા. ગઇ કાલે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને અનિલ અંબાણીને પણ દહેરાદૂનમાં સ્પોટ કરવામાં આવ્યા હતા અને સાથે જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પંડિત સાથેની ઉપરોક્ત તસવીર પણ વાયરલ થઇ હતી.

અહીં વાંચો - યુવી-હેઝલની ગોવા વેડિંગમાં પહોંચ્યા વિરાટ-અનુષ્કા

આ બધાને આધારે લોકોએ અનુમાન લગાવ્યું કે, વિરાટ અને અનુષ્કા ન્યૂ યર પર લગ્ન નહીં તો સગાઇ તો ચોક્કસ કરશે જ. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આ કપલ યુવરાજ સિંહના લગ્નમાં અને મનિષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યું હતું, ત્યારથી આ બંન્ને પણ ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે એવું કહેવાઇ રહ્યું છે. જો કે, વિરાટ અને અનુષ્કા હાલ 1લી જાન્યૂઆરીએ તો લગ્ન કે સગાઇ કરવાના હોય અમ લાગતું નથી.

English summary
No marriage on cards for Anushka Sharma and Virat Kohli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X