વિવાદાસ્પદ પોસ્ટ કરનારાની હવે ખેર નથી, ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસ બાદ અમદાવાદ પોલિસે આપી ચેતવણી
અમદાવાદ શહેર પોલિસે શહેરીજનોને ચેતવણી આપી છે. જાણો વિગત.
અમદાવાદઃ ધંધુકામાં રહેતા કિશન ભરવાડ હત્યા કેસ મામલે હજુ ધમધમાટ ચાલી રહ્યો છે. ATSએ મૌલવીની ધરપકડ કરી છે અને ગઈકાલે તેને દિલ્લીથી ગુજરાત લાવવામાં આવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે ત્યારે આ કેસમાં વધુ એક યુવકની અટકાયત કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ધંધુકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં બીજા ધર્મને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી ત્યારબાદ તેની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હત્યાનુ કનેક્શન પાકિસ્તાન સુધી પહોંચ્યુ છે. આ દરમિયાન અમદાવાદ શહેર પોલિસે શહેરીજનોને ખાસ અપીલ કરી છે.
અમદાવાદ શહેર પોલિસ દ્વારા સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવાની અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ કે ઉશ્કેરણીજનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનારા સામે પોલિસ કડક કાર્યવાહી કરશે. રાજ્યમાં ધાર્મિક શાંતિ જળવાઈ રહે તે માટે પોલિસે લોકોને ખાસ અપીલ કરી છે. બે ધર્મ વચ્ચે વિવાદ ઉભો ન થાય તે માટે પોલિસે આ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ શેર કરવાથી દૂર રહેવાની લોકોને સલાહ આપી છે. સાયબર સેલની ટીમ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને મેસેજ પર સતત મોનીટરિંગ કરી રહી છે. જો કોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરતા ઝડપાશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ધંધુકામાં વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ બાદ કિશન ભરવાડની હત્યા કેસની તપાસ ગૃહમંત્રીના આદેશ બાદ ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ પાસાંઓ પર એટીએસ તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં મૌલવી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શનની પણ તપાસ ચાલુ છે. સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિત સમગ્ર તપાસ એટીએસ દ્વારા કરવામાં આવશે.
-
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે સરકારી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન -
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ








Click it and Unblock the Notifications
