Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મંત્રી ઋષિકેશ પટેલે કર્યું વિરમગામમાં 935 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન

Long Railway Overbridge: કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગ અને રેલવે મંત્રાલય દ્વારા વિરમગામના ભોજવા ખાતે બનાવવામાં આવેલા રેલવે ઓવરબ્રિજનું રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિરમગામ તાલુકાના કલ્યાણપુરા-સચાણા-કાળિયાણા રોડને રિસરફેસ કરવાની કામગીરી પણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ 935 મીટર લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થયું છે, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ રૂપિયા 40 કરોડ છે. સ્ટેટ હાઈવે 18 પર બનેલા આ પુલ ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત આપશે.

Long Railway Overbridge

આજના પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટેલા વિરમગામના નાગરિકોને સંબોધતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા માટે ગૌરવની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી વિકાસની રાજનીતિની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત સરકાર જન કલ્યાણની યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડી રહી છે. વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા તેનું શક્તિશાળી માધ્યમ છે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આયુષ્યમાન યોજના, પીએમ ઉજ્જવલા યોજના અને જનધન યોજના જેવી કેન્દ્ર સરકારની 17 કલ્યાણકારી યોજનાઓનો લાભ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યો છે. આ યોજનાઓનો લાભ મેળવીને, મહિલાઓ, યુવાનો અને નાના વેપારીઓ પણ વિકાસશીલ ભારતમાં યોગદાન આપી રહ્યા છે.

Long Railway Overbridge

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ લોકોને આરોગ્ય, શિક્ષણ, પરિવહન જેવી સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ સુવિધાઓનો વ્યાપ વધારવા માટે આગામી બજેટમાં ગયા વર્ષના બજેટની સરખામણીમાં વિશેષ જોગવાઈ કરવામાં આવશે.

વિરમગામની જનતાને આશ્વાસન આપતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આગામી વર્ષોમાં વિરમગામની કાયાપલટ કરવાનો પ્રયાસ કરી રહી છે. આગામી વર્ષોમાં વિરમગામમાં રસ્તાઓ અને ભૂગર્ભ ગટર સહિત અનેક માળખાકીય સુવિધાઓનો વિકાસ અને વિસ્તરણ કરવામાં આવશે. આ નવનિર્મિત બ્રિજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચેના જોડાણને વેગ આપશે, જેનાથી વિરમગામમાં ઉદ્યોગો અને રોજગારીનું પ્રમાણ પણ વધશે.

આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ખુલ્લા ગટરની સમસ્યાના નિરાકરણ માટે રૂપિયા 52 કરોડની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે 16 કરોડના ખર્ચે કોલેજના નિર્માણ માટે માત્ર 8 દિવસમાં મંજૂરી આપવા બદલ મંત્રી ઋષિકેશ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X