મંત્રી ઋષિકેશ પટેલે કર્યું વિરમગામમાં 935 મીટર લાંબા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન
Long Railway Overbridge: કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગ અને રેલવે મંત્રાલય દ્વારા વિરમગામના ભોજવા ખાતે બનાવવામાં આવેલા રેલવે ઓવરબ્રિજનું રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિરમગામ તાલુકાના કલ્યાણપુરા-સચાણા-કાળિયાણા રોડને રિસરફેસ કરવાની કામગીરી પણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ 935 મીટર લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થયું છે, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ રૂપિયા 40 કરોડ છે. સ્ટેટ હાઈવે 18 પર બનેલા આ પુલ ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત આપશે.

આજના પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટેલા વિરમગામના નાગરિકોને સંબોધતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા માટે ગૌરવની વાત છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી વિકાસની રાજનીતિની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત સરકાર જન કલ્યાણની યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડી રહી છે. વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા તેનું શક્તિશાળી માધ્યમ છે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આયુષ્યમાન યોજના, પીએમ ઉજ્જવલા યોજના અને જનધન યોજના જેવી કેન્દ્ર સરકારની 17 કલ્યાણકારી યોજનાઓનો લાભ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યો છે. આ યોજનાઓનો લાભ મેળવીને, મહિલાઓ, યુવાનો અને નાના વેપારીઓ પણ વિકાસશીલ ભારતમાં યોગદાન આપી રહ્યા છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ લોકોને આરોગ્ય, શિક્ષણ, પરિવહન જેવી સુવિધાઓ પૂરી પાડી રહી છે. આ સુવિધાઓનો વ્યાપ વધારવા માટે આગામી બજેટમાં ગયા વર્ષના બજેટની સરખામણીમાં વિશેષ જોગવાઈ કરવામાં આવશે.
વિરમગામની જનતાને આશ્વાસન આપતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આગામી વર્ષોમાં વિરમગામની કાયાપલટ કરવાનો પ્રયાસ કરી રહી છે. આગામી વર્ષોમાં વિરમગામમાં રસ્તાઓ અને ભૂગર્ભ ગટર સહિત અનેક માળખાકીય સુવિધાઓનો વિકાસ અને વિસ્તરણ કરવામાં આવશે. આ નવનિર્મિત બ્રિજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચેના જોડાણને વેગ આપશે, જેનાથી વિરમગામમાં ઉદ્યોગો અને રોજગારીનું પ્રમાણ પણ વધશે.
આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ખુલ્લા ગટરની સમસ્યાના નિરાકરણ માટે રૂપિયા 52 કરોડની ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે 16 કરોડના ખર્ચે કોલેજના નિર્માણ માટે માત્ર 8 દિવસમાં મંજૂરી આપવા બદલ મંત્રી ઋષિકેશ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
-
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
