રાજયમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજ બનશે
કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટ માટે રાજ્ય સરકાર 53 રેલવે ઓવરબ્રીજ પૈકી 26 આર.ઓ.બી. ગુજરાત સરકાર દ્વારા તથા 27 આર.ઓ.બી. રેલવે વિભાગ દ્વા
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે નવી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગુજરાત આજે માળખાગત સવલતોના નિર્માણ થકી દેશનું ગ્રોથ એન્જીન પુરવાર થઇ રહયુ છે ત્યારે કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટનો 558 કિલોમીટરનો હિસ્સો જે ગુજરાતમાંથી પસાર થઇ રહ્યો છે. તેના કામો આગામી 2018 સુધીમાં પૂર્ણ કરાશે. જેનાથી રાજયમાં ઉદ્યોગોનો વ્યાપ વધશે અને રોજગારીની વ્યાપક તકોનું નિર્માણ થશે.

દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર (DMIC) પ્રોજેકટ અંગે આજે વધુ વિગતો આપતા નાયબ
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજયના વિકાસ માટે મહત્વના આ પ્રોજેકટમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજનું નિર્માણ કરાશે. જેમાં કુલ પ્રોજેકટ ખર્ચમાં 50 ટકા હિસ્સો રાજય સરકારનો તથા 50 ટકા હિસ્સો રેલવે મંત્રાલયનો રહેશે. આ પ્રોજેકટ માટે ગુજરાત સરકાર રૂા.1250 કરોડ અને રેલવે મંત્રાલય રૂા.1250 કરોડ ફાળવશે.
કેન્દ્ર સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ કુલ લંબાઇ 1508 કિલોમીટર છે. જે પૈકી ગુજરાતમાંથી 558 કિલોમીટરનો રેલવે માર્ગ પસાર થાય છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતો આ રેલ માર્ગ રાજ્યના 12 જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં બનાસકાંઠાથી શરૂ થઇ મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વસલાડ જિલ્લામાં થઇને મહારાષ્ટ્રમાં પ્રવેશશે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, આ રેલવે લાઇન ઉપર આવતા તમામ લેવલ ક્રોસીંગ ઉપર રેલવે ઓવરબ્રીજ તથા રેલવે અંડરબ્રીજ બનાવાશે. જે માટે કુલ-53 ઓવરબ્રીજનું નિર્માણ થશે. તે પૈકી 26 આર.ઓ.બી. ગુજરાત સરકાર દ્વારા અને 27 આર.ઓ.બી. રેલવે મંત્રાલય દ્વારા નિર્માણ કરાશે. હાલ આ 53 આર.ઓ.બી. પૈકી 12
આર.ઓ.બી.ના કામો પ્રગતિ હેઠળ છે. જયારે અન્ય 41 કામોના અંદાજ પત્રો ટેન્ડર પ્રક્રિયા હેઠળ પ્રગતિમાં છે.
Read also: ગુજરાતમાં બ્રાઉન અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ ખોલવા અંગે મળી બેઠક
આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ ખેડૂતો અને લોકોને ટ્રાફ્રિક સમસ્યાનો ભોગ ન બનવુ પડે તે માટે પણ 88 જેટલા ક્રોસીંગ ઉપર રૂા.500 કરોડના ખર્ચે અંડરબ્રીજ બનાવવાની કામગીરી પણ રેલવે વિભાગ દ્વાર હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ પૂર્ણ થવાથી રાજયના નાગરિકોનો સમય અને ઇંધણની બચત થશે અને સાથે સાથે ટ્રાફ્રિકનું ભારણ ઘટશે અને નાગરિકોની સલામતીમાં પણ વધારો થશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત





Click it and Unblock the Notifications
