અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 2 ધારાસભ્યોનું રાજીનામું
અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 2 ધારાસભ્યોનું રાજીનામું
ગાંધીનગરઃ આજે ગુજરાતની રાજ્યસભાની બે સીટ માટે પેટાચૂંટણી યોજાઈ હતી. અમીત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા પહોંચતાં તેમની ખાલી પડેલ સીટ પર ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં અલ્પેશ ઠાકુરે વ્હિપ અપાયો હોવા છતાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકુરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકુરે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે મેં મારા અંતરાત્માના અવાજને સાંભળીને મત આપ્યો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે સ્વીકાર્યું કે તેણે ભાજપને મત આપ્યો છે. અલ્પેશે કહ્યું કે દેશને આગળ ધપાવવા ઈચ્છે છે તેવા કેન્દ્રીયન નેતૃત્વને ધ્યાનમાં રાખી મત આપ્યો છે. રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પત્રકારોને કહ્યું કે, 'મારા સમાજના ગરીબો સુધી સુવિધાઓ પહોંચાડવા માગું છું, તેમના માટે કામ કરવા માગું છું. મેં રાજીનામું આપી દીધું છે.'
અલ્પેશ ઠાકોરે વધુ કહ્યું કે 'હું કોંગ્રેસમાં જોડાયો ત્યારથી જ માનસિક ત્રાસ અનુભવી રહ્યો હતો. કોંગ્રેસ નેતૃત્વ જમીની સ્તરે કામ કે તપાસ નથી કરી રહ્યં.' જાણવા મળી રહ્યું છે કે અલ્પેશ ઠાકુરે જ નહિ બલકે તેમની સાથે બીજા એક કોંગ્રેસી ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ પણ ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે વધુમાં સ્વીકાર્યું હતું કે તેને વ્હિપ મળ્યો હતો અને છતાં તેણે સ્વિપનો અનાદર કર્યો ત્યારે કોંગ્રેસ પાસે એક વિકલ્પ રહેશે કે તેઓ વ્હિપના અનાદર મામલે કોર્ટમાં જાય અને કાયદા પ્રમાણે અલ્પેશ પર ચૂંટણી લડવા માટે 6 વર્ષ સુધી પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કરી શકે છે. ત્યારે અલ્પેશ ઠાકુરના રાજકીય કારકિર્દી પર મોટો સવાલ લાગી ગયો છે.
પક્ષને રાજ્યસભામાં મત ન આપે ત્યારે એન્ટી ડિફેક્શન લો લાગે. જયરાજસિંહે કહ્યું કે પ્રજાએ કોંગ્રેસના સિમ્બોલ પર અલ્પેશ ઠાકોરને મત આપ્યો હતો ત્યારે અલ્પેશ ઠાકુરે પક્ષને તો દગો આપ્યો જ છે સાથોસાથે પ્રજાના મતનો પણ અનાદર કર્યો છે, તેણે પ્રજા સાથે પણ ગદ્દારી કરી છે.
આ પણ વાંચો- હરેન પંડયા મર્ડર કેસઃ સુપ્રીમ કોર્ટે 12 આરોપીઓને દોષી ઠેરવ્યા