ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં 45 IAS અધિકારીઓની બદલી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દોર શરૂ થઇ ગયો છે, 45 IAS અધિકારીઓની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના કલેકટર, 2 અગ્ર સચિવ સહિત 45 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઇપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા પણ હાથ ધરાઈ હતી.

અગ્ર સચિવ એમ.કે.દાસની રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણુક કરવામાં આવી છે. અગ્ર સચિવ સંગીતા સિંહને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. કલેકટર, DDO સહિત આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થઇ ગયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠકો પણ વધી રહી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં આઇપીએસ અધિકારીઓની બદલી થવાની પણ શક્યતા છે.












Click it and Unblock the Notifications
