મોરબીમાં પાંચ લોકોએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર
મોરબી નજીકના એક ગામમાં રહેતી સગીરા પર પાંચ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમોએ છ મહિના સુધી...
મોરબી નજીકના એક ગામમાં રહેતી સગીરા પર પાંચ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમોએ છ મહિના સુધી સગીરાને ગોંધી રાખી હતી સગીરાએ પાંચ નરાધમોથી ત્રાસીને કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તે બચી ગઈ હતી અને આ સમગ્ર ઘટના બહાર આવી હતી.

સગીરાએ રવિવારે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે સતીશ શેરસિયા, જય કાલરિયા, કિશન પટેલ, વિજય પટેલ અને વીકી કુબાવતના નામ સામે આવ્યા છે. સગીરાના જણાવ્યા પ્રમાણે આ યુવાનો તેને તથા તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપતા હતા અને તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.












Click it and Unblock the Notifications
