ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 11નું મૃત્યુ
ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 11 સભ્યોનું મૃત્યુ.
રવિવારે વહેલી સવારે બરવાળા-ધંધુકા હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપની ટક્કર થતાં સર્જાયેલા આ અકસ્માતમાં 5 મહિલા, 6 પુરૂષો સહિત 11 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને એક બાળકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત જોઇ આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

પ્રાપ્ત મહિતી અનુસાર, આ તમામ લોકો એક જ પરિવારના હતા અને પાલીતાણા દર્શન કરવા જઇ રહ્યા હતા. મૃતકો મુંબઇમાં સ્થાયી થયેલ શાહ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર દુર્ઘટનામાં જીપના ડ્રાઇવર અને શાહ પરિવારના સભ્યો સહિત 11 લોકોનું મૃત્યુ થયું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને ખબર કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.












Click it and Unblock the Notifications
