For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, સીએમ રૂપાણીએ રવાના કરી

ગુજરાતમાં આજે અમદાવાદમાં પરંપરાગત હર્ષોઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આજે અમદાવાદમાં પરંપરાગત હર્ષોઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. ગુજરાતના સીએમ વિજય રૂપાની અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પરંપરાગત રીતે રથની આગળ ઝાડુ લગાવીને રથયાત્રાને રવાના કરી. આ પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથ મંદિરમાં પોતાની પત્ની સોનલ શાહ સાથે મંગળા આરતી કરી હતી.

Jagannath Rath Yatra

આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસથી ભાગ લેતા હોય છે. ભારતમાં ઓરિસ્સામાં આવેલ જગન્નાથ પુરીની રથયાત્રા મુખ્ય છે. જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા છે. ઉપરાંત વડોદરા તથા સુરતમાં ઈસ્કોન દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથની પહેલી આરતી ઉતારીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે.

એવું કહેવાય છે કે જગન્નાથ ભગવાનની યાત્રા દરમિયાન મોટાભાગે વરસાદ તેમને નવળાવે છે. જો ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન વરસાદ ન આવે તો ભક્તો રૂદન પણ રોતા હોય છે. આજે પણ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદે માઝા મૂકી છે.

આ પણ વાંચો: જાણો કેમ જગન્નાથ સાથે નીકળે છે બલરામ અને સુભદ્રાના રથ

તમને જણાવી દઈએ કે ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર પ્રશાસને આજથી શરૂ થનારી જગન્નાથ યાત્રા માટે તમામ વ્યવસ્થા કરી છે. સાથે જ આનાથી જોડાયેલા કાર્યક્રમોની માહિતી માટે એક વેબસાઈટની પણ શરૂઆત કરવામાં આવી છે. આ વેબસાઈટ પર તમને જગન્નાથ યાત્રા સાથે જોડાયેલી માહિતી મળી શકે છે.

આ પણ વાંચો: જાણો કેમ જગન્નાથની રથયાત્રામાં અપાય છે મગનો પ્રસાદ

English summary
Ahmedabad: Jagannath Rath Yatra, CM Vijay Rupani reached there
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X