ગાયો મુદ્દે ભાજપ સામે અલ્પેશ ઠાકોરે મોરચો માંડ્યો
બનાસકાંઠાના ડીસા સહિત રાજ્યની કેટલીક પાંજરાપોળમાં ગાયોને ઘાસચારાના મુદ્દે સર્જાયેલી કટોકટીમાં હવે રાજકારણ ભળ્યું છે.
બનાસકાંઠાના ડીસા સહિત રાજ્યની કેટલીક પાંજરાપોળમાં ગાયોને ઘાસચારાના મુદ્દે સર્જાયેલી કટોકટીમાં હવે રાજકારણ ભળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા ગૌચર નીતિ જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગરમાં વિશાળ રેલી કરવામાં આવશે. ભાજપની નીતિ સામે ગૌચર પરત અભિયાન શરૂ કરવાની જાહેરાત કરતા તેમણે ગૌ સેવા આયોગના બજેટમાંથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેનો સરકારને જવાબ આપવા જણાવ્યું છે. તેમજ સરકાર સામે અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.

ભાજપ માત્ર મત માટે જ ગાયો યાદ કરે છે
રાજ્ય સરકાર સમક્ષ ગૌચર મામલે અધ્યક્ષ અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિવિધ માગણી રજૂ કરી તેનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકારને ચિમકી આપી છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, ભાજપ સરકાર માત્ર મત માગતી વખતે જ ગાયને યાદ કર્યા બાદ ગૌશાળામાં ગાયને પૂરતો ઘાસચારો આપવામાં પણ હાથ ઊંચા કરી દે છે. ભાજપની આ નીતિ સામે ગૌચર પરત અભિયાન શરૂ કરવાની જાહેરાત કરતા તેમણે માગણી કરી છે કે, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ગૌચર નીતિ જાહેર કરવી જોઈએ. ગાયોના નિભાવ અને ગાયોની સંભાળ માટે કેવા પગલાં લેવાયાં તે સરકાર જાહેર કરે તેવી માંગ કરી હતી.

ગૌચર ખુલ્લા કરાવવા મુહિમ ચલાવશે
રાજ્યના ૨૭૫૪ ગામમાં ગૌચર જ નહીં હોવા સાથે ૬૨૯માંથી ૫૦૦ પાંજરાપોળ દેવાદાર છે. આથી કોંગ્રેસ, ઠાકોર સેના અને એકતા મંચના કાર્યકર્તાઓ દ્વારા ગૌચર પરત અભિયાન ચલાવવામાં આવશે. તેના ભાગરૂપે જે ગામમાં ગૌચર હડપ કરવામાં આવી હશે ત્યાંની ફરિયાદ મહેસૂલ વિભાગને કરવામાં આવશે. ગુજરાત ઠાકોર સેના દ્વારા રાજ્યવ્યાપી અભિયાન ચલાવી ગૌચર ખુલ્લા કરવવાની મુહિમ ચલાવવાની જાહેરાત કરી હતી.

બિલ્ડરો, ઉદ્યોગપતિઓને ગૌચર નહી આપવા માંગ
રાજ્ય કક્ષાએ કોઇ પણ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ભ્રષ્ટાચારી નેતાના સંબંધીને ગૌચર અપાશે નહીં તેવું જાહેરનામું સરકારે કરવા અલ્પેશ ઠાકોરે માગણી કરી હતી. આ ઉપરાંત જિલ્લાવાર દરેક પાંજરાપોળમાં ગૌવંશ દીઠ રોજના ૧૫ કિલોગ્રામ ઘાસચારો આપવો જોઇએ. તેમણે ગૌ સેવા આયોગના બજેટમાંથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેનો સરકારને જવાબ આપવા જણાવ્યું છે.

ગાય માટે 144ની કલમ દુ:ખદ
ગાયના નામે લગાવાયેલી ૧૪૪ની કલમને દુ:ખદ ગણાવતા તેમણે જણાવ્યું છે કે, રવિવારના રોજ તમામ જિલ્લા મથકોએ ગાય માતાને ગંગાજળથી સ્નાન સાથે પૂજા કરવાનું આયોજન છે. ખરેખર ગુજરાતમાં કુલ ૨૩.૩૭ લાખ હે.ચો.મી. ગૌચર હોવું જોઇએ. તેના બદલે ૧૭.૮૧ લાખ હે.ચો.મી. જ ગૌચર ઉપલબ્ધ છે. આથી કોંગ્રેસ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રવિવારે ગૌસેવા આયોગના ચેરમેન ચૈતન્ય શંભુપ્રસાદ મહારાજના નિવાસસ્થાને દેખાવો યોજીને ગૌચર ખુલ્લા કરવા માંગ પ્રબળ કરશે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
