ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
નર્મદા ડેમ ઓવરફલો
નર્મદા ડેમ ઓવરફલો થતા કેવડિયા ખાતે જનમેદની ઉમટી હતી. સળંગ મળેલી રજાઓનો લાબ લઇને લોકો સ્વજનો મિત્રો સાથે આહલાદક વાતાવરણની મજા માણવા ઉમટયા હતા. 15 ઓગસ્ટના રોજ 26570 મુલાકાતીઓએ ઓવરફલો થતા નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસમાં 93370 પ્રવાસીઓ અને 16000 થી વધુ વાહનોનો ખડકલો નર્મદા ડેમ વિસ્તારમાં ખડકાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. જિલ્લા પોલીસ તંત્ર અને ડેમ સુરક્ષા કર્મચારીઓ સાથે વહિવટી તંત્ર પ્રવાસીઓની સુરક્ષામાં જોતરાયેલા રહી કાયદો-વ્યવસ્થા અને સુવિધા જાળવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં પણ રજામાં વધુ માણસો આવે તેવી શક્યતા છે.
આજે સ્વામી બાપાના અંત્યેષ્ટિ સંસ્કાર, લાખો હરિભક્તો કરી રહ્યા છે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન
આજે પ્રમુખ સ્વામીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર થવાના છે. ત્યારે અંત્યેષ્ઠી સંસ્કારને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ હજારો ભક્તો અંત્યેષ્ઠીના સ્થળ પર દર્શન કરવા ઉમટી રહ્યા છે. દેશવિદેશના હજારો ભક્તો મંદિર પરિસરમાં આવી રહ્યા છે અને પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે. આ હરિભક્તોને અવગડ ન પડે તેની પુરતી તકેદારી રખાઈ છે. અંત્યેષ્ઠીના સ્થળે લોકો કતારબદ્ધ અને શિસ્ત તથા શાંતિપૂર્વક બેઠા છે સ્વામીનારાયણ મહામંત્રની ધૂન કરી રહ્યા છે.
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રાર્થનાસભમાં અમિત શાહ, જેટલી રહ્યા ઉપસ્થિત
આજે સવારથી જ સ્વામી બાપાના અંતિમ દર્શન માટે સંત્સંગી સહતિ મહાનુભાવો ઉમટી રહ્યા છે. આજે મોરારી બાપુએ આવીને સ્વામી બાપાની આરતી ઉતારી હતી જ્યારે અમિત શાહ, અરૂણ જેટલી,. અનિલ અંબાણી, અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ સ્વામી બાપાના અંતિમ દર્શને આવ્યા હતા. અને અંત્યેષ્ઠી વિધીમાં પણ હાજર રહેશે. આજે સ્વામી બાપાના અંતિમ દર્શને આવી રહેલા ભક્તજનો માટે મંદિર તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દૂર દૂરથી આવેલા ભક્તોનું આ શોકપ્રસંગે પણ ધ્યાન રખાઈ રહ્યું છે અને સાળંગપુર આવેલા તમામ હરિભક્તોને કોરો નાસ્તો તથા પાણીની બોટલ્ક આપવામાં આવી રહી છે. ઘણ હરિભક્તો નાના બાળકોને લઇને પણ આવ્.યા છે ત્યારે કોઈ હેરાન ન થાય તેનુ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્વામી બાપા અક્ષરવાસી થયા તે દિવસથી અહીં ભક્તજનો ઉમટી રહ્યા છે ત્યારે મંદિર પરિસરમાં જ મેડિકલની સુવિધા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
પ્રમુખ સ્વામી મહારાજની પાલખી યાત્રા રદ
પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર પૂર્વે યોજાનારી પાલખી યાત્રા રદ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ પાલખી યાત્રા 11 વાગ્યે યોજવવાની હતી જોકે ગુરુમંડપમાં માઈનસ 10 ડિગ્રીમાં રાખવામાં આવેલા બાપાના નશ્વર દેહને બહાર કાઢતા સમયે તેમાં ફેરફાર થયા હતા તેથી 11 વાગ્યે યોજાનાર પાલખી યાત્રા રદ કરવામાં આવી છે. હવે પાર્થિવ દેહને ગુરુમંડપથી સીધા તેમના ઉતારા પર લઈ જવામાં આવશે ત્યાર બાદ મંદિરના પ્રાંગણમાં જ અંતિમવિધિ સ્થળે લઈ જવામાં આવશે ઉલ્લેખનિય છે કે, બાપાના નશ્વર દેહને છેલ્લા ચાર દિવસથી માઈનસ 10 ડિગ્રીમાં વિશેષ કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે.
સાળંગપુર અને આસપાસના વેપારીઓ વેપાર ધંધા બંધ રાયકી સ્વામી બાપાને આપી શ્રદ્ધાંજલિ
સાળંગુપર ખાતે શનિવારે અંર્તધ્યાન થયેલા પ્રમઉખ સ્વામી મહારાજના આજે અંત્યેશ્ટી સંસ્કાર કરવામાં આવશે. આજે બપોરે ત્રણ વાગ્યે સ્વામીબારાને મુખાગ્નિ આપવામાં આવશે, ત્યારે આજ સવારથી જ સાળંગપુર અને તેની આસપાસના તમામ બજારો વેપારીઓએ સ્વ્યંભૂ રીતે બંધ રાખીને સ્વામી બાપાને હાર્દિક અંજલિ આપી હતી.
પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું
યુગપુરૂષ સંત પ્રમુખસ્વામી મહારાજની અંતિમ વિધી અગાઉ તેમને મુખ્ય સંતો દ્વારા પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આજે બપોરે ત્રણ વાગ્યે અંતિમ વિધિ થવાની છે. ત્યારે તે અગાઉ અત્યારે તેમના નિવાસ સ્થાને સોડષોપચાર પૂજન ચાલી રહ્યું છે. શનિવારે અક્ષર નિવાસી થયેલા પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહને ચાર દિવસ સુધી ગુરુમંડપમાં કાચની કેબિનમાં રાખવામાં આવ્યો હતો. અને આજે ત્યાંથી તેમના પાર્થિવ દેહને સાધુઓના સથવારે રથમાં નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો અને ત્યાં ષોડશોપચાર પૂજા ચાલુ છે.સંતો દ્વારા બાપાના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો. આ સમયે સમગ્ર વાતાવરણ શોક મગ્ન જોવા મળી રહ્યું હતું. હરિભક્તો જય સ્વામિનારાયણનો મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. દરમિયાન સ્વામી બાપાના દર્શન માટે રામદેવ બાબા આવી પહોંચ્યા છે.
બાપાની અંતિમવિધિમાં જતા પોરબંદર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીનો અકસ્માત
પ્રમુખ સ્વામીની અંતિમવિધિ માટે સાળંગપુર જઈ રહેલા પોરબંદર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ટ્રસ્ટી વિનુભાઈ કક્કડનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઇજા થતાં તેમને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હજ માટેની પ્રથમ ફ્લાઇટ અમદાવાદથી 21મીએ ઉપડશે
ગુજરાતમાં હજયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હજ માટેની પહેલી ફ્લાઇટ 21મી ઑગસ્ટે ઉડાન ભરશે. 21મી ઑગસ્ટથી શરૂ થનારી યાત્રાની આ ફ્લાઇટમાં 300 યાત્રીઓ મુસાફરી કરશે.
ભાજપ સરકારે જ દલિતો પર હુમલો કરાવ્યોઃ કેજરીવાલ
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કેજરીવાલે દલિતો પર થયેલા હુમલાને પગલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. દલિતોએ ગુજરાત સરકાર પાસેથી જમીનની માગણી કરી છે.