ગુજરાત ભરના મુખ્ય સમાચારો પર એક નજર
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
દોષીઓ પર 36 કલાકમાં કાર્યવાહી કરો: હાર્દિક પટેલની ચિમકી
હાર્દિક પટેલ કહ્યું કે તેમનું આંદોલન શાંતિથી ચાલી રહ્યું હતું પણ પોલિસે પ્લાનિંગ કરને લાઠીચાર્જ કર્યો. વધુમાં પટેલ કહ્યું કે પોલિસે બાળકો અને મહિલાઓને પણ ના છોડ્યા. ત્યારે તે તમામ અધિકારીઓને 36 કલાકમાં સંસ્પેન્ડ કરવાની ચીમકી પટેલ સમુદાયના કન્વીનર હાદિક પટેલે આપી છે.
વડોદરામાં હાર્દિક પટેલના પૂતળા બળાયા
વડોદરામાં ચડોતર લેઉઆ સમાજે હાર્દિક પટેલનો પૂતળા બાળી વિરોધ પ્રદર્શન કર્યું. લેઉઆ સમાજના યુવક સંગઠનનું કહેવું હતું કે હાર્દિક પટેલ પટેલ સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
ગુજરાતને પેરામિલેટ્રીના હવાલે કરાયું
ગુજરાત ભરમાં ઠેર ઠેર પટેલ સમુદાય અને પોલિસ વચ્ચે હિંસક અથડામણો વધતા કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીને રાજ્ય સરકારે રાજ્યમાં શાંતિનું વાતાવરણ બની રહે તે માટે પેરોમિલેટ્રી ફોર્સ ઉતારી છે.
ગુજરાતમાં આરક્ષણને આગમાં બાળ્યું રક્ષામંત્રીનું ઘર
પટેલ આરક્ષણનો પહેલા શિકાર બન્યા પટેલ સમુદાયના ગુજરાતના વરિષ્ઠ પટેલ નેતાઓ. હાર્દિક પટેલની ધરપકડ બાદ ગુજરાતના રક્ષામંત્રી રજની પટેલના ઘરના ઘર પર પટેલ સમુદાય દ્વારા આગ ચાંપી કરવામાં આવી. ત્યાં જ સ્વાસ્થય પ્રધાન અને મહેસાણાના સાંસદના ઘરે પણ પથરાવ થયો.
સુરતમાં ફાટી હિંસા, પ્રદર્શનકારીઓ પર થયો લાઠીચાર્જ
સુરતમાં આજે સવારે ફરી એક વાર પોલિસ અને પાટિદાર સમાજ આમને સામને આવી જતા સ્થિતિ વણસી હતી. પોલિસ ટોળું ભગાવવા લાઠીચાર્જ કરી ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી પર આજે સુનવણી
ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની અરજી પર સુપ્રિમ કોર્ટ આજે સુનવણી કરશે. નોંધનીય છે કે સંજીવ ભટ્ટ તેમની વિરુદ્ધમાં કરવામાં આવેલ ગુજરાત પોલિસની તપાસને કોર્ટમાં પડકારી હતી.
મોદી પહેલા આનંદી બેન અને હાર્દિક પટેલની અપીલ
જો કે ગુજરાતમાં થયેલા રમખાણોને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો શાંતિ જાળવવાની અપીલ કરી જ ચૂક્યા છે. આ સિવાય ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બહેન પટેલ અને પટેલ સમુદાયના કનીવર હાર્દિક પટેલ પણ લોકોની શાંતિ જાળવવાની અપીલ કરી છે.