For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના બીએસએફ જવાને આસામ બોર્ડર પર જીવ ગુમાવ્યો

ગુજરાતના સૈનિક સંજય સાધુની આસામ બોર્ડર પર શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થઇ છે. સંજય સાધુ વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર સ્થિત ભગવતી કૃપા સોસાયટીના રહેવાસી હતા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સૈનિક સંજય સાધુની આસામ બોર્ડર પર શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થઇ છે. સંજય સાધુ વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર સ્થિત ભગવતી કૃપા સોસાયટીના રહેવાસી હતા. તેમના ભાઈ જગદીશે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 10 વાગ્યે અમને બીએસએફના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સંજય હવે અમારી સાથે નથી રહ્યા. તેમનો મૃતદેહ મંગળવાર સુધીમાં વડોદરા પહોંચશે. જગદીશે કહ્યું કે અમને નથી ખબર કે તેમને કયા સંજોગોમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

BSF personnel from Gujarat

સંજય સાધુને ત્રણ બાળકો છે. જેમાં બે પુત્રી અને એક પુત્ર છે. થોડા સમય પહેલા સંજયે ગાંધીનગરમાં મકાન લીધું હતું. તેનો પરિવાર હાલમાં ત્યાં રહે છે. સંજયના ભાઈનું કહેવું છે કે તે તહેવારો દરમિયાન વડોદરાની મુલાકાત લેતો હતો. તે બીએસએફમાં ઇન્સ્પેક્ટરના હોદ્દા પર હતો. સંજયનું મોત કેવી રીતે થયું તે અંગે જગદીશે કહ્યું કે અમને અધિકારીઓએ એવું જ કહ્યું છે કે તમારા માટે દુઃખદ સમાચાર છે. સંજય સાધુ હવે અમારી સાથે નથી રહ્યા. તેમનો મૃતદેહ મંગળવાર સુધીમાં વડોદરા પહોંચશે. આ સિવાય તેમણે અમને કોઈ વધુ માહિતી આપી ન હતી.

આ પણ વાંચો: RPF જવાને જાનની બાજી લગાવી ગુજરાતમાં પુરમાં 8 લોકોને બચાવ્યા

English summary
BSF personnel from Gujarat lost his life on Assam border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X