આશ્રમમાં વિદ્યાર્થીઓની હત્યાના કેસમાં આસારામના 7 શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી કરાયા
અમદાવાદ, 26 નવેમ્બર: પોતાનએ ભગવાન સમાન ગણાવનાર ધર્મગુરૂ આસારામ બાપૂની મુશ્કેલીઓ વધતી જાય છે. પહેલાંથી જ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા આસારામ ગત કેટલાક મહિનાઓથી જેલમાં બંધ છે. તેમના પર તેમના જ આશ્રમમાં 2 વિદ્યાર્થીઓની હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. આ આરોપના કેસમાં સ્થાનિક કોર્ટે આસારામના સાત શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા છે. આ સાથે જ આરોપીઓ વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવશે.
મુખ્ય ન્યાયિક જજે આસારામના જે શિષ્યો વિરૂદ્ધ આરોપ નક્કી કર્યા છે, તેમાં પંકજ સક્સેના, યોગેશ ભાટી, નીલ કેતન ઉર્ફે ખેતાન, વિકાસ ખેમા, ઉદય સંઘવી, અજય શાહ અને કૌશીક વાણી છે. સાતો આરોપીઓ વિરૂદ્ધ આઇપીસી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની વિભિન્ન કલમો હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. બધા આરોપીઓ બાળકોની મોતના સમયે આશ્રમમાં વિભિન્ન પદો પર કાર્યરત હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામના આશ્રમની પાછળ સાબરમતી નદીના કિનારે 5 જુલાઇ 2008ના રોજ 10 વર્ષના દિપેશ વાઘેલા અને તેના 11 વર્ષીય કાકાના દિકરા અભિષેક વાધેલાની લાશ મળી હતી. ત્યાર્બાદ બાળકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇએ કાળા જાદૂના કારણે તેમના બાળકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરી 2014ના રોજ થશે.