ડીસામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના પોઇન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા ખાતેની તેમની જનસભામાં નોટબંધી લઇને સ્વીટક્રાંતિ પર શું ટિપ્પણી કરી વાંચો અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના ડીસા ખાતે બનાસ ડેરી દ્વારા 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી. નોંધનીય છે કે મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે લોકોએ હાજરી આપી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના અંશો વાંચો અહીં...

મજામાં છો ?: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆત મજામાં છો કહીને કરી હતી. જેને હાજર જનમેદનીએ સહર્ષે તાળીઓ સાથે સ્વીકારી હતી. જે બાદ પીએમએ બનાસકાંઠામાં શ્વેતક્રાંતિ લાવનાર ગલબાભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે બનાસકાંઠા દુકાળગ્રસ્ત વિસ્તાર હોવાના કારણે લાંબા સમયથી હાડમારી વેઠે છે. પણ શ્વેતક્રાંતિના કારણે આ વિસ્તારની આર્થિક સ્થિત સુધરી છે.

શ્વેત ક્રાંતિ પછી સ્વીટ ક્રાંતિ
બનાસ ડેરીના આ કાર્યક્રમ સાથે જ પીએમ મોદીએ બનાસ ડેરીના મધ પ્રોજેક્ટને પણ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે શ્વેત ક્રાંતિ પછી ગુજરાતભરના ખેડૂતો મધ વેચાણ કરી સ્વીટ ક્રાંતિ લાવે. જેથી કરીને ખેડૂતોની આવક વધી શકે.

બનાસકાંઠાના વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના વખાણ કરતા કહ્યું હતું કે બનાસકાંઠાનું નામ આજે દુનિયાભરમાં તેની બટાકાની પેદાશના કારણે જાણતું થયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે અહીંની બહેન અને માતાઓએ શ્વેતક્રાંતિ સર્જીને ઇતિહાસ બનાવ્યો છે.

નોટબંધી
નોટબંધી પર મોદીએ વિપક્ષ પર આકરી ટીકા કરી હતી. જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે પહેલા 100, 50 રૂપિયા અને નાના માણસોની કોઇ કિંમત નથી. નોટબંધી પછી 100 રૂપિયાની કિંમત વધી છે. તેમણે કહ્યું કે મે પહેલા પણ કહ્યું છે અને હજી પણ કહું છું કે નોટબંધીનો આ નિર્ણય કપરો છે.

લોકોનો આભાર માન્યો
જો કે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાનો આભાર માન્યો તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા ભડકાવવા છતાં પણ જનતાએ મને સાથે આપ્યો. તે માટે હું જનતાનો આભારી છું.

રાજનીતિ પહેલા રાષ્ટ્રવાદ
વિપક્ષ પર આક્ષેપ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિપક્ષે નોટબંધી પર રાજનીતિ કરવા પહેલા રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે નકલી નોટો આતંકીઓની તાકાત વધારે છે. માટે નોટબંધીનો આ નિર્ણય ખૂબ જ જરૂરી હતો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
