ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીમાં 2 જૂને બંધ થશે ઉમેદવારોનું ભાવિ

ગુજરાતમાં એવું પ્રથમવાર બની રહ્યું છે કે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ સાથે યોજવામાં આવી રહી હોય. તમામ 6 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે યોજાય તે માટે ચૂંટણીતંત્ર, પોલીસતંત્ર, વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ પૂરતી તૈયારીઓ પૂરી કરી લીધી છે. મતદાનની પૂર્વ સંધ્યા સુધી 33 ઉમેદવારોએ 33 લાખ મતદારોને પોતાના પક્ષમાં રિઝવવા મટે પ્રયાસો કર્યા છે.
આ તમામ છ બેઠકો પર ભાજપ અને કોંગ્રસના ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ રહેશે. ડિસેમ્બર 2012માં યોજાયેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 પછી વિધાનસભાની પ્રથમ અને લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વેની આ અંતિમ પેટાચૂંટણી છે. તેના પરિણામથી રાજ્ય કે કેન્દ્રની સરકારને કોઈ ફેર પડવાનો નથી પરંતુ જનમાનસની દિશા નક્કી કરવામાં આ ચૂંટણી મહત્વનો ભાગ ભજવશે. મહત્વની વાત એ છે કે વિધાનસભાની ચાર બેઠકો અત્યારે કોંગ્રેસને નામ છે. વર્તમાન સમયમાં વિધાનસભામાં કોંગ્રેસને નામ 60 બેઠકો છે. આ તમામ ચાર બેઠકોમાં કોંગ્રેસ જીતશે તો વિધાનસભામાં તેના ધારાસભ્યોનું સંખ્યાબળ 60 રહેશે નહીંતર ઘટશે. આવી સ્થિતમાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બનશે.
પેટા ચૂંટણી માટે ભાજપે વિકાસને મુદ્દો બનાવ્યો છે. મોંઘવારી ભ્રષ્ટાચાર બદલ પ્રચારમાં કોંગ્રેસની ઝાટકણી કાઢી છે. જ્યારે કોંગ્રેસે રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર, વહીવટી નિષ્ફળતા, અછત વગેરે મુદ્દે પ્રહારો કર્યા છે. ચૂંટણીઓના સમાન્ય મુદ્દાઓ ઉપરાંત પરિણામ પર ઉમેદવારની અને પક્ષની પ્રતિભા, જ્ઞાતિવાદ, મતદાનની ટકાવારી વગેરે બાબતો ખૂબ જ અસરકારક બનશે.
જેતપુર અને પોરબંદર મતક્ષેત્રમાં કોંગ્રેસનું નિશાન પક્ષપલ્ટા સામે રહ્યું છે. પોરબંદર લોકસભાની બેઠક પર ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયા અને કોંગ્રેસના વિનુ અમીપરા તથા બનાસકાંઠા લોકસભાની બેઠક પર ભાજપના હરીભાઈ ચૌધરી અને કોંગ્રેસના ક્રિષ્નાબેન મુકેશભાઈ ગઢવી ચૂંટણી લડી રહ્યા છે. મોરવાહડફ (પંચમહાલ) બેઠકમાં ભાજપના નિમીષાબેન સુથાર અને કોંગ્રેસના ભૂપેન્દ્ર ખાંટ વચ્ચે સ્પર્ધા છે. લીંબડીમાં કિરીટસિંહ રાણા ભાજપ વતી અને સતિષ સોમાભાઈ પટેલ કોંગ્રેસ વતી જંગ ખેલી રહ્યા છે. જેતપુર બેઠકમા જયેશ રાદડિયા ભાજપના અને જગદીશ પાંભર કોંગ્રેસના ઉમેદવાર છે. ધોરાજી-ઉપલેટા બેઠકમાં પ્રવીણભાઈ માંકડિયા ભાજપ તરફી અને હરિભાઈ કણસાગરા કોંગ્રેસ તરફી ઉમેદવાર છે.
છેલ્લી ચૂંટણી વખતે 6 એ 6 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. બે બેઠકો ચૂંટાયેલા સભ્યોના અવસાનથી અને 4 બેઠકો ચૂંટાયેલા સભ્યોના રાજીનામાથી ખાલી પડી હતી. પક્ષપલ્ટાના મુદ્દાને જનતા કઈ રીતે મુલવે છે? તે આ વખતના જનાદેશથી સ્પષ્ટ થઈ જશે.
કઇ બેઠક પરથી કેટલા ઉમેદવારો લડી રહ્યા છે?
પોરબંદર - 07
બનાસકાંઠા - 08
લીંબડી - 06
ધોરાજી - 05
જેતપુર - 05
મોરવાહડફ - 02
કુલ ઉમેદવારો - 33
કુલ મતદારો - 33લાખ
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?











Click it and Unblock the Notifications
