Gujarat Election Result 2022: ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે, અમે વિજય સરઘસ નહી કાઢીયે: હાર્દિક
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. આ સાથે વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે. આ વિજયથી નક્કી થશે ક
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. આ સાથે વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે. આ વિજયથી નક્કી થશે કે આવનાર 25 વર્ષમાં ગુજરાત કેવું હશે. હાર્દિકે ઉમેર્યું હતું કે વિરમગામથી પણ મારી જીત થશે, આ ચૂંટણીએ લોકતંત્રના પાયા મજબૂત કરવાનું કામ કર્યું છે. જીત્યા બાદ અમે સરઘસ નહીં નિકાળીએ કારણકે સરઘસ નિકાળવાના બહાને અમે લોકોને મુશ્કેલીમાં નહીં મૂકીએ.

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનિય છેકે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે.
ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
