ગુજરાત સરકારના કર્મચારીઓના ભથ્થાંમાં 8 ટકાનો વધારો

રાજ્ય સરકારના પ્રવક્તા નાણાં મંત્રી નીતિન પટેલ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે મુખ્યમંત્રીના કર્મયોગી હિતલક્ષી નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, હાલ રાજ્ય સરકારના કર્મયોગીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સમકક્ષ 72 ટકા મોંધવારી ભથ્થું મળે છે અને કેન્દ્ર સરકારે તેમાં પહેલી જાન્યુઆરી 2013થી આઠ ટકાનો વધારો કરતાં હવેથી ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને પણ 80 ટકા મોંધવારી ભથ્થું મળવાપાત્ર થશે.
આ કારણે રાજ્ય સેવાના અંદાજે 4.86 લાખ કર્મયોગીઓ તથા રાજ્ય સેવામાંથી નિવૃત્ત થયેલા 3.77 લાખ પેન્શનરોને મોંધવારી ભથ્થામાં 8 ટકાના આ વધારાનો લાભ મળશે. આના પરિણામે રાજ્યની તિજોરી પર અંદાજિત ર્વાષિક રૂપિયા 1036 કરોડો વધારાનો નાણાંકીય બોજ પડશે. રાજ્ય સરકારના મોંધવારી ભથ્થામાં આઠ ટકા વધારના આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ તેમજ અગાઉ જે ગ્રાન્ટ ઈન એઇડ સંસ્થાઓને મોંધવારી ભથ્થાના વધારાનો લાભ મળવાપાત્ર થતો હોય તેવા કર્મચારીઓને મળવાપાત્ર થશે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
