ગુજરાત સરકારના કર્મચારીઓના ભથ્થાંમાં 8 ટકાનો વધારો

રાજ્ય સરકારના પ્રવક્તા નાણાં મંત્રી નીતિન પટેલ અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે મુખ્યમંત્રીના કર્મયોગી હિતલક્ષી નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, હાલ રાજ્ય સરકારના કર્મયોગીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સમકક્ષ 72 ટકા મોંધવારી ભથ્થું મળે છે અને કેન્દ્ર સરકારે તેમાં પહેલી જાન્યુઆરી 2013થી આઠ ટકાનો વધારો કરતાં હવેથી ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને પણ 80 ટકા મોંધવારી ભથ્થું મળવાપાત્ર થશે.
આ કારણે રાજ્ય સેવાના અંદાજે 4.86 લાખ કર્મયોગીઓ તથા રાજ્ય સેવામાંથી નિવૃત્ત થયેલા 3.77 લાખ પેન્શનરોને મોંધવારી ભથ્થામાં 8 ટકાના આ વધારાનો લાભ મળશે. આના પરિણામે રાજ્યની તિજોરી પર અંદાજિત ર્વાષિક રૂપિયા 1036 કરોડો વધારાનો નાણાંકીય બોજ પડશે. રાજ્ય સરકારના મોંધવારી ભથ્થામાં આઠ ટકા વધારના આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ તેમજ અગાઉ જે ગ્રાન્ટ ઈન એઇડ સંસ્થાઓને મોંધવારી ભથ્થાના વધારાનો લાભ મળવાપાત્ર થતો હોય તેવા કર્મચારીઓને મળવાપાત્ર થશે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
