ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક છબરડો, ધોરણ 9ના પુસ્તક પર છાપી દીધુ ધોરણ 11નું ટાઈટલ
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવ્યો છે. પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 9ના પુસ્તક પર ધોરણ 11નું ટાઈટલ છાપી દીધુ છે. ધોરણ-9ની ગુજરાતના પુસ્તક ઉપર ધોરણ-11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસનું ટાઇટલ
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક છબરડો સામે આવ્યો છે. પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 9ના પુસ્તક પર ધોરણ 11નું ટાઈટલ છાપી દીધુ છે. ધોરણ-9ની ગુજરાતના પુસ્તક ઉપર ધોરણ-11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસનું ટાઇટલ ચડાવી દીધું હતું. પુસ્તકોને શાળાઓમાં આપ્યા બાદ ત્યાંથી પરત આવતા સમગ્ર છબરડો બહાર આવ્યો હતો. જોકે પાઠ્યપુસ્તક મંડળમાં પુસ્તકો પ્રિન્ટ કર્યા બાદ યોગ્ય પ્રુફની કામગીરી થતી નહી હોવાથી આવી ઘટના વારંવાર બની રહી હોય તેમ લાગી રહ્યું છે.

કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓ માટે ભલે શાળાઓ બંધ રહી હતી. પરંતુ બાળકોને સમયસર પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવાની ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ઘરે પુસ્તકો પહોંચતા કરવાની કામગીરી શિક્ષકોએ કરી હતી.
આ પણ વાંચો: અમિત શાહે સૌરવ ગાંગુલીની પત્ની સાથે કરી વાત, કહ્યું- જરૂર પડી તો સારવાર માટે દિલ્હી લાવીશુ












Click it and Unblock the Notifications
