અમદાવાદમાં હોમ ગાર્ડના કમાન્ડન્ટે સિક્યોરીટી ગાર્ડને માર માર્યો
હોમ ગાર્ડના કમાન્ડન્ટે સિક્યોરીટી ગાર્ડને દારૂના નશામા માર માર્યાનો આક્ષેપ, બોપલ પોલીસે તપાસ શરૂ કરી. વધુ જાણો અહીં.
અમદાવાદ બોપલમાં આવેલા સનસીટી એપાર્ટમેન્ટ સેક્ટર 1માં રહેતા હોમ ગાર્ડના કમાન્ડન્ટ વિરૂધ્ધ સ્થાનિક સિક્યોરીટી ગાર્ડને માર મારવા અંગેનો ગુનો બોપલ પોલીસમાં નોંધવામાં આવતા પોલીસે હોમ ગાર્ડના આધિકારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે હોમ ગાર્ડના ઓફિસરે દારૂ પીધેલી હાલતમાં સિક્યોરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. તેમ છંતાય, પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો નહોતો.આ બનાવની વિગતો એવી છે કે પ્રકાશસિંહ સૂર્યવંશી (ઉ.વ 21) બોપલ સન સીટી સેક્ટર 1માં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. પ્રકાશસિંહ સમય પ્રમાણે ડ્યુટી પર હાજર થયા હતા રાતના લગભગ 2 વાગ્યાના સુમારે પ્રકાશસિંહ ચા બનાવવા માટે પાણી લેવા માટે ગયા હતા ત્યારે સેક્ટર 1માં આવેલા ડી 501માં નંબરના ફ્લેટમાં રહેતા બ્રીજરાજસિંહ ગોહિલ અચાનક ત્યાં આવ્યા હતા અને પ્રકાશસિંહ શા માટે ગેરહાજર હતો તે અંગે કારણ પુછીને અચાનક મારવાનું શરૂ કરી દીધું હતુ.

જેથી બુમો સાંભળતા અન્ય સિક્યોરીટી સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને પ્રકાશસિંહને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ બ્રીજરાજસિંહે બીજા સિક્યોરીટી ગાર્ડને પણ માર માર્યો હતો. જો કે આ દરમિયાન સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે બીજા ગાર્ડને છોડાવ્યા હતા આ સમયે બ્રીજરાજસિહે સ્થાનિક લોકોને પણ મારવાની ધમકી આપી હતી.બીજી તરફ સ્થાનિક લોકો પ્રકાશસિંહને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યારબાદ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. બ્રીજરાજસિંહ ગોહિલ ગુજરાત હોમ ગાર્ડમાં કમાન્ડન્ટ તરીકે તેમજ પીઆરઓ તરીકે કામ કરે છે અને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે તે ઘણીવાર એપાર્ટમેન્ટમાં દાદાગીરી કરીને સિક્યોરીટી ગાર્ડ તેમજ સ્થાનિક લોકોને પરેશાન કરે છે, જો કે આઇપીએસ ઓફિસરો સાથે સારો ધરોબો હોવાથી પોલીસ તેમની સામે કોઇ કાર્યવાહી કરતી નથી. એપાર્ટમેન્ટમાં અવારનવાર તેમના દ્વારા કરવામાં આવતી દાદાગીરીને કારણે હવે સ્થાનિક લોકો લડી લેવાના મુડમાં છે. બીજી તરફ બોપલ પોલીસ દાવો કરે છે કે અમે કોઇપણ દબાણ વિના કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેમના વિરૂધ્ધ નોંધાયેલો ગુનો જામીન લાયક હોવાથી જામીન મળી ગયા છે. જ્યારે તેમણે દારૂ પીધેલો ન હોવાને કારણે અમે એ ગુનો નોધ્યો નથી.
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
