વધુ એક આઇએસઆઇ એજન્ટની ધરપકડ કરતી અમદાવાદ પોલીસ
જોઇન્ટ કમિશનર (ક્રાઇમ) એકે શર્માએ કહ્યું છે. '' અગાઉ પકડાયેલા એજન્ટોની આકરી પૂછપરછ કરવામાં આવતા જોધપુરમાં રહેતા નૌશાદ અલીનું નામ બહાર આવ્યું હતું. અલીની ધપરકડ ભારતીય સૈનાની માહિતી આઇએસઆઇને મોકલવા બદલ કરવામાં આવી છે. તેણે કહ્યું છે કે તે 2005, 2008 અને 2009માં પાકિસ્તાનની મુલાકાતે જઇ આવ્યો છે.''
'' અલીએ બી કોમમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે અને ટ્યૂશન આપતો હતો, તે તેના બનેવી સાથે વેબસાઇટ ડેવલોપમેન્ટનું કામ કરતો હતો. તેની બહેન લગ્ન પછી પાકિસ્તાનમાં સ્થાઇ થઇ છે,'' શર્માએ કહ્યું છે.
શર્માએ કહ્યું કે, અલીએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના થકી તે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. પ્રારભિંક પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે તેણે આઇએસઆઇ દ્વારા પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તે ભારતીય આર્મી અધિકારીઓની માહિતી આઇએસઆઇને મોકલતો હતો.
''અલીએ કહ્યું છે કે તે પાકિસ્તાનના અન્ય એક આઇએસઆઇ એજન્ટના સંપર્કમાં હતો, અલી પોતાના ડ્રાફ્ટમાં મેસેજ સેવ કરતો હતો અને એ ઇમેઇલ એકાઉન્ટ પાકિસ્તાના અધિકારી દ્વારા પણ ઓપરેટ કરવામાં આવતું હતું,'' તેમ શર્માએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલીક મેથડ શિરાજુદ્દિનની મેથડને મળતી આવતી હતી, જે થોડા સમય પહેલા પકડાયો હતો.