વડગામથી જીજ્ઞેશ મેવાણી લડશે ચૂંટણી, ભાજપની મુશ્કેલી વધી
દલિત નેતા જીજ્ઞેશ મેવાણી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અપક્ષ નેતા તરીકે લડશે. બનાસકાંઠાના વડગામથી જીજ્ઞેશ આ ચૂંટણી લડશે. જાણો આ અંગે વધુ અહીં.
દલિત નેતા તરીખે પ્રખ્યાતિ મેળવી ચૂકેલા જીજ્ઞેશ મેવાણીએ બનાસકાંઠાના વડગામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ અંગે તેણે ટ્વિટર અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે હવે નિશાના પર છે પીએમ મોદી. ઉલ્લેખનીય છે કે આ પહેલા જીજ્ઞેષ મેવાણીએ ચૂંટણી ના લડવાની જાહેરાત કરી હતી. પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત પછી આજે તેમણે ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવાની અને વડગામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણી અહીંથી એક અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરાવશે.

નોંધનીય છે કે ભલે જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે વડગામથી ચૂંટણી લડી રહ્યા હોય પણ તેમ છતાં તેને મળતા દલિત સમર્થનના કારણે વડગામની બેઠક પર ભાજપની સ્થિતિ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. આજે જ્યારે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે જીજ્ઞેશ મેવાણી વડગામ પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. જીજ્ઞેશે વધુમાં આ પ્રસંગ્રે જણાવ્યું હતું કે ભાજપના કારણે ગુજરાતમાં એવી સ્થિતિ ઊભી થઇ છે જેનો જવાબ આપવા માટે તમામે સાથે મળીને લડત આપવી જરૂરી બની છે.












Click it and Unblock the Notifications
