મોદીએ બાપાને પગે લાગી મેળવ્યા આશીર્વાદ
અમદાવાદ, 20 ડિસેમ્બર : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં ભવ્ય વિજય મેળવ્યા બાદ સૌપ્રથમ પોતાના માતા હીરાબેનને મળવા પહોંચ્યાં. મોદીએ માતાના આશીર્વાદ લીધા અને પછી તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મળવા પહોંચ્યાં.

મોદીએ કેશુભાઈ પટેલની મુલાકાત લેતા રાજકીય અટકળોના દોર શરૂ થઈ ગયા હતાં. સમગ્ર ચુંટણી દરમિયાન કેશુભાઈ પટેલ મોદી માટે માથાનો દુઃખાવો બની રહેલ. કેશુભાઈ પટેલે એકમાત્ર મોદી વિરુદ્ધ જ આખો મોર્ચો ખોલ્યો હતો અને તેમના જ કારણે તેમને નવો પક્ષ સ્થાપવો પડ્યો હતો. કેશુભાઈ પટેલ માટે ગુજરાતના રાજકારણમાં મોદી જ સૌથી મોટા શત્રુ હતાં. આમ છતાં મોદીએ સમગ્ર ચુંટણી ઝુંબેશ દરમિયાન એકેય વાર કેશુભાઈ વિરુદ્ધ હરફ સુદ્ધા નહોતા ઉચાર્યો નહોતો. અહીં સુધી કે કેશુભાઈ પટેલે વાણીવિલાસ કરતાં એક વાર મોદીને ઢફોળશંખ સુદ્ધા કહી દીધુ હતું.
નોંધનીય છે કે મોદીએ 7મી ઑક્ટોબર, 2001ના રોજ જ્યારે પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી હતી, ત્યારે પ્રથમ કેશુભાઈ પટેલના ચરણ-સ્પર્શ કર્યા હતાં અને આ ચરણ-સ્પર્શની આબરૂ મોદીએ છેક સુધી જાળવી રાખી.
કેશુભાઈના સતત પ્રહારો છતાં મોદીએ ચુંટણી જીત્યા બાદ કેશુભાઈ પટેલની મુલાકાત લીધી. બંનેએ એક-બીજાનુ મોઢું મીઠું કરાવ્યું. કેશુભાઈએ મોદીને ચુંટણીમાં વિજય બદલ શુભેચ્છાઓ પાઠવી. આ અગાઉ મોદી કેશુભાઈના પગે પણ લાગ્યાં.
જોકે મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેશુભાઈએ જણાવ્યું કે આ એક શિષ્ટાચાર મુલાકાત હતી. 2007માં પણ જ્યારે મોદી જીત્યા હતાં, ત્યારે મેં તેમને ફોન કરી જણાવ્યુ હતું કે હું શુભેચ્છા આપવા આઉં કે તમે આવો છો? ત્યારે મોદીએ જણાવ્યુ હતું કે તેઓ આવે છે. આ વખતે પણ તેઓ વિજય બાદ મળવા આવ્યાં.
કેશુભાઈએ મુલાકાત દરમિયાન થયેલ વાતચીત અંગેના સવાલ પર જણાવ્યું કે કોઈ પણ પ્રકારની રાજકીય વાતચીત નથી થઈ. હા અમે બંને સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ. હું પ્રમુખ છું અને તેઓ ટ્રસ્ટી છે. તેથી તે અંગેની થોડીક ચર્ચા થઈ. તેમણે જીપીપીની આગળની વ્યુહરચના અંગે જણાવ્યું કે અમે પ્રેસ કૉન્ફરંસ કરીને વિસ્તારથી જણાવીશું.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
