હું ભાજપમાં નહી જોડાવ, પણ પાસમાંથી રાજીનામું આપું છું: દિનેશ બાંભણિયા
પાટીદાર નેતા અને હાર્દિક પટેલનો ડાબો હાથ મનાતા દિનેશ બાંભણિયાએ પાસમાંથી આપ્યું રાજીનામું. ચૂંટણી પહેલા હાર્દિક પટેલને લાગ્યો મોટો ફટકો.
ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણના મતદાનને શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. અને તે પહેલા ગુજરાતના રાજકારણમાં છેલ્લા સમયમાં મોટા મોટા બોમ્બ એક પછી એક ફૂટી રહ્યા છે. પાટીદાર નેતા અને હાર્દિક પટેલનો ડાબો હાથ મનાતા દિનેશ બાંભણિયાએ શુક્રવારે એક પ્રેસવાર્તા કરીને પાસમાંથી આપ્યું રાજીનામું. તેણે આ પ્રેસવાર્તામાં કહ્યું હતું કે તેણે હંમેશા સમાજ માટે કામ કર્યું છે. નોંધનીય છે કે હાર્દિક સમેત દિનેશ પર પણ રાજદ્રોહનો કેસ લાગેલો છે. ત્યારે. ચૂંટણી પહેલા હાર્દિક પટેલને લાગ્યો મોટો ફટકો.

વધુમાં આ પ્રેસવાર્તામાં દિનેશે જણાવ્યું કે કોંગ્રેસ સાથે વાત કર્યા બાદ મને તે વાત સમજાઇ ગઇ છે કે કોંગ્રેસ ક્યારેય પાટીદારીને અનામત આપવા માંગતી નથી. 4 તારીખે મેનિફેસ્ટમાં ફેરફાર કરાયો છે. અત્યારે અમારા ફોન કોઈ ઉપાડતું નથી. વધુમાં હાર્દિકની સીડી પર દિનેશ બાંભણિયાએ કહ્યું કે જે રીતે સીડીઓ બહાર આવી રહી છે લાગી રહ્યું છે કે આ આંદોલન બીજી જ દિશામાં જઇ રહ્યું છે. જે મારા સિદ્ધાંતોથી અલગ છે. તેણે કહ્યું કે હું સમાજ માટે કામ કરતો હતો અને કરતો આવ્યો છું. મારા સિદ્ધાંતોથી અલગ વાત આગળ વધતા હું આજે પાસમાંથી રાજીનામું આપું છું તેમ દિનેશ જણાવ્યું હતું. સાથે જ ભાજપમાં ના જોડાવાની વાત પણ કરી હતી.
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું












Click it and Unblock the Notifications
