કાલે ગુજરાત આવશે પીએમ મોદી, મા હીરાબેનના આશીર્વાદ લેશે
કાલે ગુજરાત આવશે પીએમ મોદી, મા હીરાબેનના આશીર્વાદ લેશે
નવી દિલ્હીઃ પ્રચંડ જીત સાથે નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સિંહાસન પર વાપસી કરી છે. હવે સૌકોઈની નજર શપથ ગ્રહણ પર ટકી છે. સૂત્રો મુજબ નરેન્દ્ર મોદી 30 મેના રોજ શપથ લઈ શકે છે. પરંતુ તે પહેલા રવિવારે પીએમ મોદી ગુજરાત આવશે અને અહીં પોતાના મા હીરાબેનના આશીર્વાદ લેશે. ગુજરાતે ફરી એકવાર નરેન્દ્ર મોદીએ તમામ 26 સીટ આપી છે, એવામાં મોદી ગુજરાત જઈ વોટર્સનો ધન્યવાદ પણ કરશે.
જણાવી દઈએ કે હંમેશા ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ અને જન્મ દિવસના અવસર પર પીએમ મોદીના પોતાના માતાના આશીર્વાદ લેવા જાય છે. 2014માં જ્યારે તેઓ પીએમ બન્યા, ત્યારે પણ તેમણે સૌથી પહેલા પોતાની માતાના આશીર્વાદ લીધા હતા. હાલમાં જ્યારે તેઓ ગુજરાતમાં મતદાન કરવા ગયા હતા, ત્યારે પણ તેમણે પોતાના માતા સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગાંધીનગર રોકાશે.
આ પણ વાંચો- Video: સુરત આગઃ આગમાં ઘેરાયેલા બાળકોને બચાવવા જીવ જોખમમાં મૂક્યો આ યુવકે