પ્રધાનમંત્રી દીવ તેમજ દમણમાં વિમાની સેવાનો કરાવશે પ્રારંભ
દીવથી શરૂ થનારી વિમાની સેવાના વિમાનમાં હાલમાં 17 સીટો છે તેમજ દીવ થી અમદાવાદનું અંદાજિત ભાડું ૨૦૦૦ રૂપિયા રહેશે.
દીવ અને સોમનાથ આવનારા ટુરિસ્ટ માટે ખુશી ના સમાચાર આવ્યા છે. આગામી શનિવારે એટલે કે ૨૪ ફ્રેબુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી દીવથી અમદાવાદ પ્લેન અને દીવ થી દમણ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરશે. આ સેવાના પ્રારંભ થવાને કારણે સ્થાનિક લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ખાસ કરીને દીવથી અમદાવાદ આવતા વેપારીઓને આ નિર્ણય રાહતરૂપ જણાઈ રહ્યો છે. વિમાની સેવા શરૂ થવાને પગલે દીવ. દમણ, સોમનાથ તરફ જતા પ્રવાસીઓમાં પણ ખુશી છવાઈ છે કારણ કે તેઓ ઓછા સમયમાં પ્રવાસ કરી શકશે. સાથે જ સોમનાથ અને જુનાગઢ તેમજ અમરેલીના લોકો પણ ખુશખુશાલ બન્યા છે.

વિમાની તથા હેલિકોપ્ટર સેવાને કારણે દીવ થી અમદાવાદ જવા હવે સ્થાનિકોએ 8 કલાક બસમાં નહિ બેસવું પડે. માત્ર એક કલાકમાં દીવ થી અમદાવાદ પહોંચી જવાશે.
સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે અમારે પ્લબરિંગનો ઘણો માલ લેવા માટે વારંવાર અમદાવાદ જવું પડતું હોય છે ત્યારે દોઢ કે બે દિવસનો સમય જાય છે તેમજ થાક પણ લાગે છે ત્યારે વિમાની સેવા શરૂ થવાથી અમે એક જ દિવસમાં આરામથી અમારું કામ પૂર્ણ કરી શકીશું.
ઉલ્લેખનીય છે કે દીવથી શરૂ થનારી વિમાની સેવાના વિમાનમાં હાલમાં 17 સીટો છે તેમજ દીવ થી અમદાવાદનું અંદાજિત ભાડું ૨૦૦૦ રૂપિયા રહેશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
