રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત થતા આરોગ્ય વિભાગની દોડ઼ધામ
રાજકોટમાં ઠંડીના સમયે ફેલાતા સ્વાઇન ફ્લૂના કારણે એક વૃદ્ધાનું મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
એક તરફ ગરમી માઝા મૂકી રહી છે અને રાજકોટ સૌરાષ્ચટ્ર, અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના શહેરોમાં હીટવેવની અશર થઈ રહી છે ત્યારે રાજકોટમાં ઠંડીના સમયે ફેલાતા સ્વાઇન ફ્લૂના કારણે એક વૃદ્ધાનું મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. કારણ કે આટલી આક્મક ગરમી વચ્ચે જો સ્વાઇન ફ્લૂ માથુ ઉચકી શકતો હોય તો તે ઘણી ગંભીર બાબત કહેવાય.

ઉલ્લેકનીય છેકે ગત વર્ષે શિયાળાની ઠંડીમાં ફેલાતા એચ-વન એન-વન વાઇરસના ચેપને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવતા 150થી વધુ લોકોના ભોગ લીધા હતા ત્યારે ચાલુ વર્ષે ઉનાળાના આકરા તાપ વચ્ચે પણ સ્વાઇ ફ્લૂએ દેખા દેતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને રાજકોટમાં સ્વાઇન ફલુથી વૃધ્ધાનું મોત નિપજતા તબીબો અને આરોગ્યતંત્રમાં અરેરાટી મચી જવા પામી છે.
રાજકોટ નજીક આવેલા ઉપલેટા પંથકના વૃધ્ધાએ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દમ તોડી દીધો હતો. જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના નિલાખા ગામે રહેતા 6પ વર્ષીય મુસ્લીમ વૃધ્ધાને કેટલાક દિવસોથી તાવ આવતો હોય સ્થાનિક તબીબની સારવાર થતા તબીયતમાં સુધારો ન થતા તેમને વધુ સારવાર માટે મંગળવારે સાંજે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબો દ્વારા વૃધ્ધાને પ્રાથમિક સારવાર આપી સ્વાઇન ફલુની શંકા વ્યકત કરાતા તબીબો દ્વારા તેમના લોહી અને કફના નમુના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા.
ત્યારબાદ વૃધ્ધાની તબીયત લથડતા ગઇકાલે બપોરે તેમને સિવિલ હોસ્પીટલમાં રીફર કરાયા હતા પરંતુ અહીં તેમનું રીપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું હતું અને વૃધ્ધાના મોત બાદ તેમનો રીપોર્ટ સ્વાઇન ફલુ પોઝીટીવ આવતા તબીબોમાં દોડધામ મચી જવા પામી હતી.
મૃતક વૃધ્ધાને સંતાનમાં બે પુત્રો હોવાનું અને પતિ નિવૃત હોવાનું જાણવા મળ્યું છે. ઠંડીની સીઝનમાં ફેલાતા મહામારીના રોગે ભરઉનાળે દેખા દેતા અને ચાલુ સીઝનનું પ્રથમ મોત નિપજતા લોકોમાં ભય સાથે દહેશત ફેલાઇ જવા પામી છે. અને હવે આગળ ઉપર શું પગલા લેવા તે અંગે આરોગ્ય વિભાગ તથા રાજકોટનું તંત્ર સતર્ક બન્યુ છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ






Click it and Unblock the Notifications
