રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત થતા આરોગ્ય વિભાગની દોડ઼ધામ
રાજકોટમાં ઠંડીના સમયે ફેલાતા સ્વાઇન ફ્લૂના કારણે એક વૃદ્ધાનું મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
એક તરફ ગરમી માઝા મૂકી રહી છે અને રાજકોટ સૌરાષ્ચટ્ર, અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના શહેરોમાં હીટવેવની અશર થઈ રહી છે ત્યારે રાજકોટમાં ઠંડીના સમયે ફેલાતા સ્વાઇન ફ્લૂના કારણે એક વૃદ્ધાનું મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. કારણ કે આટલી આક્મક ગરમી વચ્ચે જો સ્વાઇન ફ્લૂ માથુ ઉચકી શકતો હોય તો તે ઘણી ગંભીર બાબત કહેવાય.

ઉલ્લેકનીય છેકે ગત વર્ષે શિયાળાની ઠંડીમાં ફેલાતા એચ-વન એન-વન વાઇરસના ચેપને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવતા 150થી વધુ લોકોના ભોગ લીધા હતા ત્યારે ચાલુ વર્ષે ઉનાળાના આકરા તાપ વચ્ચે પણ સ્વાઇ ફ્લૂએ દેખા દેતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને રાજકોટમાં સ્વાઇન ફલુથી વૃધ્ધાનું મોત નિપજતા તબીબો અને આરોગ્યતંત્રમાં અરેરાટી મચી જવા પામી છે.
રાજકોટ નજીક આવેલા ઉપલેટા પંથકના વૃધ્ધાએ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દમ તોડી દીધો હતો. જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના નિલાખા ગામે રહેતા 6પ વર્ષીય મુસ્લીમ વૃધ્ધાને કેટલાક દિવસોથી તાવ આવતો હોય સ્થાનિક તબીબની સારવાર થતા તબીયતમાં સુધારો ન થતા તેમને વધુ સારવાર માટે મંગળવારે સાંજે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબો દ્વારા વૃધ્ધાને પ્રાથમિક સારવાર આપી સ્વાઇન ફલુની શંકા વ્યકત કરાતા તબીબો દ્વારા તેમના લોહી અને કફના નમુના લઇ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા.
ત્યારબાદ વૃધ્ધાની તબીયત લથડતા ગઇકાલે બપોરે તેમને સિવિલ હોસ્પીટલમાં રીફર કરાયા હતા પરંતુ અહીં તેમનું રીપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું હતું અને વૃધ્ધાના મોત બાદ તેમનો રીપોર્ટ સ્વાઇન ફલુ પોઝીટીવ આવતા તબીબોમાં દોડધામ મચી જવા પામી હતી.
મૃતક વૃધ્ધાને સંતાનમાં બે પુત્રો હોવાનું અને પતિ નિવૃત હોવાનું જાણવા મળ્યું છે. ઠંડીની સીઝનમાં ફેલાતા મહામારીના રોગે ભરઉનાળે દેખા દેતા અને ચાલુ સીઝનનું પ્રથમ મોત નિપજતા લોકોમાં ભય સાથે દહેશત ફેલાઇ જવા પામી છે. અને હવે આગળ ઉપર શું પગલા લેવા તે અંગે આરોગ્ય વિભાગ તથા રાજકોટનું તંત્ર સતર્ક બન્યુ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
