શું ગુજ.વિધાનસભા ચૂંટણીમાં સાધુ-સંતોને ટિકિટ આપવામાં આવશે?
અમિત શાહ સાથેની મુલાકાત બાદ ભારતીબાપુએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ યોગ્ય સાધુ-સંતોને ટીકીટ આપવી જોઈએ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની એક દિવસની મુલાકાત માટે આવ્યા હતા. મળતી માહિતી મુજબ અમિત શાહના નિવાસ સ્થાને ભારતી બાપુ, સ્વામી પરમાનંદ, સ્વામી અવ્ધેશાનંદ, સ્વામી નિર્મળાનંદ સહિત ઘણા સાધુ-સંતોએ તેમની સાથે મુલાકાત કરી હતી. તેમણે દિલ્હીના સાંસદ મહેશગીરી સાથે પણ મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં કુંભ મેળા, ગીરનારના વિકાસ સહિત સાધુ-સંતોના સંમેલન વગેરે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત બાદ ભારતી બાપુએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ યોગ્ય સાધુ સંતોને ટિકિટ આપવામાં આવે. ભારતી બાપુએ કહ્યું હતું કે, સાધુ-સંતોને ટિકિટ આપવા બાબતે રાજકીય પક્ષોએ વિચાર કરવો જોઈએ.
અમિત શાહ શુક્રવારના રોજ દિલ્હી પરત ગયા છે, સંતો સાથે બેઠક બાદ ભાજપ હવે આ અંગે ચર્ચા કરે તેવું લાગી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, માટે અમિત શાહની આ ગુજરાત મુલાકાત મહત્વની બની રહે છે.
{promotion-urls}
-
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે સરકારી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન -
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન








Click it and Unblock the Notifications
