દુષ્કર્મ બાદ મહિલાની હત્યામાં પરિવારને ન્યાય અપાવવા એસપીજીએ ઝંપલાવ્યું
ભાવનગર નજીકના ગારિયાધારના માંડવીમાં આશરે અઢાર દિવસ પહેલા એક મહિલા પર દુષ્કર્મ ગુજારી અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી...
ભાવનગર નજીકના ગારિયાધારના માંડવીમાં આશરે અઢાર દિવસ પહેલા એક મહિલા પર દુષ્કર્મ ગુજારી અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

આ મહિલાને ન્યાય અપાવવા સરદાર પટેલ ગ્રુપ એસપીજીએ ઝંપલાવ્યું છે. એસપીજીના આગેવાનોએ પીડિતા મહિલાના પરિવારની મુલાકાત લઇને તેને ન્યાય અપાવવા માટે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ. એસપીજીના લાલજી પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો મહિલા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનારને ઝડપથી પકડીને સજા કરવામાં નહી આવે તો તેઓ આંદોલન કરશે.












Click it and Unblock the Notifications
