હાર્દિક પટેલના રોડ શો પર બાપુનગરમાં થયો પથ્થરમારો, ભાજપ-પાસ સામ સામે
પાટીદાર નેતા હાર્દિક પટેલની રેલી પર બાપુનગરમાં થયો પથ્થરમારો. ભાજપ અને પાસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારપીટ પણ થઇ. વધુ વાંચો અહીં.
સોમવારે, પાટીદાર નેતા હાર્દિક પટેલે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે બાપુનગર ખાતે હાર્દિક પટેલના રોડ શો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાથે જ ભાજપ અને પાસના કાર્યકર્તાઓ સામ સામે આવી મારપીટ કરી હોવાની જાણકારી પણ મળી છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રોડ શો કરી રહ્યો હતો ત્યારે આ ઘટના થઇ હતી. પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદના બાપુનગરમાં ભાજપ ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલય પર રોડ શો પર પથ્થરમારો કરતા ભાજપ-PAASના કાર્યકરો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. નોંધનીય છે કે આજે હાર્દિક પટેલે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.
હાર્દિક પટેલે આજે ઘાટલોડિયા અને નારણપુરામાં પણ રોડ શો કર્યો હતો. નોંધનીય છે કે ઘાટલોડિયા ભૂતપૂર્વ સીએમ આનંદી બેન પટેલ અને નારણપુરા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો મતવિસ્તાર છે. ત્યારે આ પથ્થરમારા પછી બંન્ને પક્ષોનો હાલ એકબીજા પર વાંક નીકાળી રહ્યા છે. જો કે પોલીસે સ્થિતિ સાંભળવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં હાર્દિક પટેલ હાલ જે રોડ શો કર્યો છે તે માટે તેને તંત્ર તરફથી પરવાનગી નથી મળી. પણ તેમ છતાં તે આ રોડ શો કરી રહ્યો છે. આ માટે પોલીસે તેની સામે ફરિયાદ પણ નોંધી છે.