સ્વામીએ વડોદરામાં કહ્યું, ‘રાજીવ ગાંધીના હત્યારાને છોડવા ના જોઇએ’
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજીવ ગાંધીના હત્યારાઓનો છોડી દેવાના તમિળનાડુ સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરા ખાતે કહ્યું છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા જોઇએ નહીં, તમિળનાડુ સરકારને એ અંગેના કોઇ અધિકાર નથી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સ્વામીએ વડોદરામાં કહ્યું, ‘રાજીવ ગાંધીના હત્યારાને છોડવા ના જોઇએ'
વડદોરાઃ રાજીવ ગાંધીના હત્યારાઓનો છોડી દેવાના તમિળનાડુ સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરા ખાતે કહ્યું છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા જોઇએ નહીં, તમિળનાડુ સરકારને એ અંગેના કોઇ અધિકાર નથી.

તલાટી કૌભાંડમાં DySOની ધરપકડ
રેવન્યુ તલાટી પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં અનેક નામો બહાર આવી રહ્યાં છે. જેમાં શિક્ષણ વિભાગના નાયબ સેક્શન અધિકારી રિતેશ નાયકની ધરપકડ ગાંધીનગર એલસીબી દ્વારા કરવામા આવી છે. આ કૌભાંડમાં સૌપ્રથમ પકડાયેલા કલ્યાણસિંહ ચંપાવાત પાસેથી 1.43 કરોડ રૂપિયા મળ્યા હતા.

રાજકોટઃ સીટી બસે ચાર વાહનોને અડફેટે લીધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ પાસે બુધવારે રાત્રે સીટી બસે અકસ્માતની વણઝાર કરતા બે કાર અને એક રિક્ષા સહિત ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેમાં રિક્ષામાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે. બસની બ્રેક ફેઇલ થઇ જતાં અકસ્માત સર્જાયો હોવાનું ચાલકે જણાવ્યું છે.

સુરતઃ ડાયમંડ મેનેજરની પત્નીનો આપઘાત
સુરત સ્થિત હરેકૃષ્ણ ડાયમંડના મેનેજરની પત્ની ફાંસો ખાઇને આપઘાત કરતા પોલીસે આત્મહત્યા દૂષ્પ્રેરણાનો ગુનો નોધી સાસુ અને પતિની અટકાયત કરી છે. નોંધનીય છે કે લગ્નના અઢિ મહિનામાં જ 25 વર્ષીય યુવતીએ આપઘાતનું પગલું ભરતા સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. આ અંગે યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સાસુ અને પતિ તેના પર ત્રાસ ગુજારતા હતા.

આણંદઃ બસ અડફેટે વિદ્યાર્થીનું મોત
ખંભાત શહેરમાં બસ અડફેટે આવી જતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, વિદ્યાર્થીને સમયસર સારવાર નહીં મળતા વિદ્યાર્થીનું મૃત્યું થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં પોલીસે મધ્યસ્થી કરી મામલા થાળે પાડ્યો હતો.
-
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી











Click it and Unblock the Notifications
