સુરત: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાત
આપઘાત કરતાં પહેલા યુવકે પોતાના મિત્રને વ્યાજખોરો અંગે આપી હતી માહિતીતેણે વોટ્સએપ થકી પોતાની આપવીતી વર્ણવી હતીવોટ્સએપ મેસેજને આધારે પોલીસ કરી રહી છે તપાસઆ અંગે વધુ વાંચો અહીં...
સુરતમાં એક યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ત્રસ્ત મનોદશામાં આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર યુવકે વોટ્સએપ કરીને પોતાની દુઃખની કથા મિત્રને કહી હતી તેના આધારે ખબર પડી કે યુવકે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એ.કે રોડ વિસ્તારની રામબાગ સોસાયટીમાં રહેતા આકાશ પટેલે કેટલીક રકમ વ્યાજે લીધી હતી. તે મોબાઇલની દુકાન ચલાવતો હતો. તેણે આશરે 80-85 ટકા જેટલું વ્યાજ પણ ચૂકવી દીધું હતું અન થોડી રકમ બાકી હતી. તેમ છતાં વ્યાજખોરો તેને હેરાન કરી રહ્યા હતા.

આ અંગે આકાશે આકાશે પોતાના મિત્રને વોટ્સએપ પણ કર્યો હતો અને સમગ્ર માહિતી જણાવી હતી. પોતાના મિત્રની હતાશ પરિસ્થિતિ જોઈને તેણે તુરંત જ આકાશને ફોન કર્યો હતો પરંતુ આકાશે ફોન ઉઠાવ્યો નહોતો. આકાશે તેના મિત્રને વોટ્સએપ પર વ્યાજખોરોના નામ સહિતની તમામ માહિતી જણાવી હતી. આકાશે તેના મેસેજમાં જય, હેમાંગ, કિશન, હસુભાઈ સહિતના વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમજ તેમને કેટલી રકમ આપી છે તે જણાવ્યું હતું. આકાશે જેને મેસેજ કર્યો હતો તેને કહ્યું હતું કે, તમે મારા મોટાભાઈ જેવા છો એટલે તમામ હકીકત તમને જણાવું છું. આ મેસેજ કર્યા બાદ આકાશે આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ઘટનામાં વોટ્સએપના સંદેશને આધારે ગુનો નોંધીને વ્યાજખોરોની તપાસ હાથ ધરી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
