તમારા કામની ખબર: નવરાત્રી સમયે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ
નવરાત્રીના સમયે અમદાવાદના અગત્યના રસ્તાઓ પર રાત્રે 10થી 2 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર શહેર પોલીસ કમિશનરે પ્રતિબંધ મૂકયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારે વાહનો પર પ્રતિબંધ લાદતા ટ્રાફિકની સમસ્યા તો હળવી બનશે જ સાથે જ અકસ્માતના બનાવોને પણ ખાળવામાં આ નિર્ણય અગત્યનો સાબિત થશે.
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી 1 થી10 તારીખ દરમિયાન રાત્રિના 10થી 2 વાગ્યા સુધીમાં વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સર્કલ સુધીના આખા એસ.જી.હાઈવે ઉપરાંત, પ્રબોધ રાવળ સર્કલથી 132 ફૂટ રિંગ રોડ અખબારનગર સર્કલ, હેલમેટ ઓવરબ્રીજ થઇ એ.પી.એમ.સી. ત્રણ રસ્તા સુધી અને ઉસ્માનપુરા ચાર રસ્તાથી નવરંગ સર્કલ, વિજય ચાર રસ્તા, નહેરૂનગર સર્કલથી ધરણીધર થઇ અંજલી સર્કલ સુધીના માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

તો વૈષ્ણોદેવીથી સરખેજ જવા માટે વાહનો સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરી શકે છે. જ્યારે રાત્રે 8 વાગ્યાથી જજીસ બંગલા ચાર રસ્તાથી પકવાન તરફ જવાનો માર્ગ માત્ર 2 વાગ્યા સુધી વનવે રહેશે. ઉપરાંત જેજે માર્ગ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે તે રસ્તાની આજુબાજુ રાત્રે આઠથી નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ







Click it and Unblock the Notifications
