અમદાવાદમાં ત્રણ માળની ઇમારત ધરાશાઇ, પાંચના મોત
અમદાવાદ, 26 જુલાઇ : ગુજરાતમાં અમદાવાદમાં આજે સવારે એક ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાઇ થઇ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. તથા સાત અન્યને ગંભીર ઇજા પહોંચી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાંક લોકો હજી પણ કાટમાળમાં ફસાયેલા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઘટના કાલુપુર વિસ્તારની ગીચ વસ્તી ધરાવતી ગલીઓમાં આવેલી સોદાગરની પોળમાં બની છે.

ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે ઇમારતમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે. જોકે ઘટનાને પગલે સ્થળ પર આવી પહોંચેલા ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર આઇ આર પટેલે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતનું નિર્માણ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો




Click it and Unblock the Notifications
