For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ત્રણ માળની ઇમારત ધરાશાઇ, પાંચના મોત

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 જુલાઇ : ગુજરાતમાં અમદાવાદમાં આજે સવારે એક ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાઇ થઇ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. તથા સાત અન્યને ગંભીર ઇજા પહોંચી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાંક લોકો હજી પણ કાટમાળમાં ફસાયેલા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઘટના કાલુપુર વિસ્તારની ગીચ વસ્તી ધરાવતી ગલીઓમાં આવેલી સોદાગરની પોળમાં બની છે.

kalupur
નિર્માણાધીન ઇમારત ધરાશાઇ થવાના કારણે આ ઇમારત સાથે સંકળાયેલ અન્ય મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થઇ ગયા છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ફાયર સ્ટેશન વિભાગના એક અધિકારી સહિત સાત લોકોને ઇજા પહોંચી છે જેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.

ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે ઇમારતમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે. જોકે ઘટનાને પગલે સ્થળ પર આવી પહોંચેલા ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર આઇ આર પટેલે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતનું નિર્માણ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.

English summary
The under constructed Three floor building collapsed in Kalupur area of Ahmedabad, Five dead in this incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X