ભારતનું અને ભારતીયોનું વૈશ્વિક મહત્વ વધ્યું છે: UKના સાંસદ પ્રીતિ પટેલ
ગાંધીનગર, 8 જાન્યુઆરી: : તેરમા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ યોજાયેલા યુથ પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ઘાટન પ્રસંગે મેમ્બર ઑફ પાર્લામેન્ટ અને યુનાઇટેડ કિંગડમ પ્રાઇમ મિનિસ્ટર્સ ડાયસ્પોરા ચેમ્પીયન પ્રીતિ પટેલે પણ હાજરી હતી, તેમણે ઇન્ડિયન ડાયસ્પોરાના વૈશ્વિક મહત્વને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આજે ભારતનું અને ભારતીયોનું વૈશ્વિક મહત્વ વધ્યું છે. તેમણે બ્રિટન અને ઇન્ડિયાના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, બ્રિટનમાં 1.5 મીલિયન ભારતીયો વસે છે.

તેમણે ઇન્ડિયા અને યુ.કે.ની ફાયનાન્સિયલ પાર્ટનરશીપ તેમજ પરસ્પરના વ્યૂહાત્મક સહયોગને મહત્વના ગણાવી ઉમેર્યું હતું કે, બંન્ને દેશોના મહત્વપૂર્ણ સંબંધોમાં યુવાવર્ગની ભૂમિકા અત્યંત મહત્વની છે.
યુવાનોને દેશના ભવિષ્ય અને વિઝન ગણાવીને પટેલે જણાવ્યું હતું કે, વિકાસની વૈશ્વિક દોડમાં શિક્ષણ, તાલીમ દ્વારા યુવાનોએ સજ્જતા કેળવવી પડશે. તેમણે શિક્ષણને જ સફળતાની ચાવીરૂપ ગણાવી જણાવ્યું હતું કે, યુ.કે.-ઇન્ડિયા એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ એક લાખ વિદ્યાર્થીઓ બ્રિટનમાં શિક્ષણ મેળવે છે, તો બ્રિટિશ વિદ્યાર્થીઓ પણ ભારતમાં વિવિધ અભ્યાસક્રમોમાં શિક્ષણ મેળવે છે. તેમણે બિન નિવાસી ભારતીયોને સાંસ્કૃતિક દૂત ગણાવ્યા હતા.












Click it and Unblock the Notifications
