કેન્દ્રને ફક્ત 'મામા-ભાણીયા'ની ચિંતા છે: નરેન્દ્ર મોદી
દેવડા, 6 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજાઓના નિર્માણની રાજ્ય સરકારની માંગણીને કથિત રીતે નજરઅંદાજ કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર ફક્ત 'મામા-ભાણીયા'ની ચિંતા છે. નરેન્દ્ર મોદીએ રાજકોટથી લગભગ 75 કિલોમીટર દૂર દેવડા શહેરમાં રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે મેં પુરૂષોત્તમ રૂપાલા અને લાલકૃષ્ણ અડવાણી સહિત (ભાજપ)ના નેતાઓ સાથે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે લગભગ 25 વખત સરદાર સરોવર ડેમ પર દરવાજાના નિર્માણ કરવા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ તેમને કોઇ ધ્યાન આપ્યું નથી.
તેમને રેલવે મંત્રી પવન બંસલના ભાણીયાની કથિત સંડોવણીવાળા લાંચકાંડના મુદ્દે ઇશારો કરતાં કહ્યું હતું કે દરવાજાનું નિર્માણ કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પાણીના સંકટની સમસ્યાનું નિવારણ થઇ શકે છે પરંતું કોંગ્રેસને પોતાના શાસનવાળા રાજ્યોની પણ ચિંતા નથી. તે ફક્ત મામાઓ અને ભાણીયાઓની ચિંતામાં છે. જુઓ ભાણીયાઓ પણ આ ખેલમાં કેવી રીતે સામેલ થઇ ગયા.