વલસાડમાં 700 જેટલા લોકોએ કર્યું ધર્મપરિવર્તન
છેલ્લા ઘણા સમયથી ધર્માંતરણનો મૂદ્દો દેશની રાજનીતિમાં છવાયો છે. ધર્માંતરણનો મુદ્દો ભાજપના ગળાની ફાંસ બની ગયો છે, જેને તે બહાર કાઢી પણ નથી શકતી અને ઓકી પણ નથી શકતી. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ આખા દેશમાં લઘુમતી કોમના લોકોને હિન્દુ ધર્મ અંગીકાર કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. જેના કારણે છેલ્લા ઘણાય દિવસોથી સંસદના બંને ગૃહોની કાર્યવાહી બાધિત થઇ છે.
જોકે આ બધાની વચ્ચે ગુજરાતના વલસાડ જિલ્લાના એક ગામમાં 700 જેટલા લોકોએ ધર્માંતરણ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. દેશની રાજનીતિમાં ધર્માંતરણના મુદ્દે ધમાલ ચાલતી હોવા છતા શનિવારે વિશ્વ હિન્દુ પરિષદે ધરમપુર તાલુકાના અરણાઇ ગામે 'હિન્દુ સંસ્કૃતિ દિક્ષા' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કપરાડા અને ધરમપુર તાલુકાના 200 જેટલા પરિવારોના લગભગ 700 જેટલા સભ્યોને ધર્માંતરણ કરીને પાછા ઘરે લાવવાની નેમ અપનાવી હતી.

ધર્મ પ્રસાર, દક્ષિણ ગુજરાત પ્રાંતના સંયોજક ધર્મેન્દ્રસિંહ યાદવે કહ્યું કે, કપરાડા અને ધરમપુર તાલુકામાં 70થી 80 ટકા ઇસાઇકરણ થયું છે. તમામ ફરી હિન્દુ ધર્મમાં લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. એક વર્ષમાં 60 હજાર લોકોને સ્વધર્મમાં લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય વાત એ છે કે વિકાસના નામે વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની હાલત હાલમાં સૂડી વચ્ચે સોપારી સમાન થઇ છે. નરેન્દ્ર મોદીની ઉપર એક તરફ દેશની જનતા છે જ્યારે બીજી તરફ સંઘ અને વિહિપના આગેવાનો છે, જેઓ કટ્ટર હિન્દુવાદી માનસિકતા ધરાવે છે. જોકે નરેન્દ્ર મોદીએ આ સંગઠનોને એવી પણ ચીમકી આપી દીધી છે કે મને દેશના વિકાસ માટે સ્વતંત્ર રીતે કાર્ય કરવા દેવામાં આવે અથવા તો હું મારા હોદ્દા પરથી રાજીનામું આપી દઇશ. હવે સવાલ એ પેદા થાય છે કે શું નરેન્દ્ર મોદીની આવી ધમકી બાદ સાંસદો અને ધારાસભ્યો પોતાની જીબ પર કાબુ મેળવી શકશે? શું ભાજપ સમર્થક હિન્દુત્વવાદી સંગઠનો મોદીની વાત માનશે કે પછી તેઓ પોતાની વાત પર અડગ રહેશે. અથવા તો આ ધર્માંતરણની આ સુનામી શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ જ થંભશે?
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
