બોધગયા બ્લાસ્ટમાં 10 બોમ્બ બ્લાસ્ટ થયા હતા: ડીજીપી

તેમને જણાવ્યું હતું કે દસમો બ્લાસ્ટ મહાબોધિ મંદિરથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે સ્થિત બૈજૂ બિગહા ગામમાં રસ્તાના કિનારે હાજર એક વિદ્યુત ટ્રાંસફર્મરે નીચે થયો હતો.
બૈજૂ બિગહા ગામમાંથી ગઇકાલે એક બોમ્બ મળી આવ્યો હતો અને તે સ્થળે નિરક્ષણ કરતી વખતે ત્યાંથી દસમા બોમ્બ વિશે ખબર પડી હતી. ઘટનાસ્થળ પર વિસ્ફોટ બાદ બોમ્બના ટુકડા મળી આવ્યા હતા.
મહાબોધિ મંદિર પરિસર અને તેની પાસે થયેલા નવા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ વિશે જાણ થઇ હતી. તેમાં ચાર મંદિર પરિસરમાં, એક બોમ્બ બ્લાસ્ટ મંદિર પરિસરથી થોડા અંતરે આવેલા ભગવાન બુદ્ધની 80 ફૂટની પ્રતિમા પાસે અને બીજો બોમ્બ કરમાપાના નિવાસસ્થાન પાસે થયો હતો. આ બ્લાસ્ટમાં બે બૌદ્ધ ભિક્ષુક ઇજાગ્રસ્ત થયા હતા.
બૈજૂ બિગહા ગામ સ્થિત રોયલ રેસિડેન્સી હોટલ પાસેથી મળી આવેલો એક બોમ્બ, ભગવાન બુદ્ધની 80 ફૂટની પ્રતિમા પાસે મળી આવેલો એક બોમ્બ તથા સ્કુલ પાસેથી મેદાનમાંથી મળી આવેલો એક બોમ્બને કાલે જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો.
અભયાનંદે જણાવ્યું હતું કે ગયા જિલ્લાના બારાચટ્ટી પોલીસ સ્ટેશના વિનોદ મિસ્ત્રી નામના એક વ્યક્તિનું ઓળખ પત્ર મંદિર પરિસરમાં વિસ્ફોટ સ્થળેથી મળી આવ્યું હતું અને તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
