જીવનને સફળ બનાવવા માટે કરો 10 ફેંગશુઇનું પાલન
આજના જમાનામાં ફેંગશુઇ વિશે દરેક જણ જાણે છે, આ સંસ્કૃતિની ઉત્પત્તિ ચાઇનાથી થઇ હતી, જે સ્થાન, સામાન અને કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને વધુ ફેંગશુઇ કલ્ચર કંઇક વધુ જ છવાઇ ગયું છે.
પ્લાસ્ટિકની બોટલ વડે શણગારો તમારું ઘર
ફેંગશુઇના ઘણા નિયમો હોય છે, અને ઘણા બધા લોકોમાં તેને લઇને ઘણી બધી ભ્રમણા પણ છે. સારું રહેશે કે તમે આ બધા નિયમોને જાણો અને તેનું પાલન કરો. આ આર્ટિકલમાં તેમનેથી કેટલાક 10 નિયમો વિશે કહેવામાં આવી રહ્યું છે. જેનું પાલન કરવું જોઇએ જેથી તમારા ધરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે.
Pics: ઘરમાં લગાવો આ 10 રંગ-બેરંગી મશરૂમ
દરવાજા સાફ સુથરા રાખો
ઘરનો મુખ્ય દરવાજો સારો, સાફ સુથરો અને સ્વાગતયોગ્ય દેખાવવો જોઇએ. મુખ્ય દરવાજો ગંદો ન હોય, તેની આસપાસ સુકાઇ ગયેલા છોડના કુંડા ન રાખો અને કોઇ તૂટેલો ફૂટેલું ન હોય. આ દરવાજાથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
બધા રૂમોને વ્યવસ્થિત રાખો
ધરમાં અને જીવનમાં ખુશહાલી લાવવા માટે જરૂરી છે કે તમે તમારા ઘરના દરેક રૂમને સાફ-સુથરો રાખો. જો રૂમ સાફ અને વ્યવસ્થિત હશે, તો તમને શાંતિ મળશે અને સુકુન રહેશે. કોઇપણ તૂટેલી ફૂટેલી અને બેકાર વસ્તુ ન રાખો.
ફર્નીચરને યોગ્ય રીતે રાખો
ઘરમાં દરેક પ્રકારના ફર્નિચરને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખો. કોઇપણ વસ્તુ આડીઅવળે રાખશો નહી. ઉઠવા-બેસવાની યોગ્ય અને સ્થાઇ વ્યવસ્થા રાખો. એવું સેટિંગ કરો કે જો કોઇ ઘરની દિવાલ સાથે ટેકો લઇને બેસે તો તેને ફર્નિચર ખસેડવું ન પડે.
કામ કરવાનું અને આરામ કરવાનું સ્થાન રાખો
ઘરમાં બનેલી ઓફિસ અને લિવિંગ રૂમ વચ્ચે અંતર હોવું જોઇએ. જો બંને એક જગ્યાએ હશે તો તમારે હંમેશા ટેંશન રહેશે અને તમે ક્યારેય પણ શાંતિથી કામ કરી શકશો અન્હી અને ના તો આરામ કરી શકશો.
તૂટેલી વસ્તુનું તાત્કાલિક સમારકામ કરાવો
ઘરમાં કોઇપણ સ્થળે કંઇપણ તૂટેલું હોય તો તેનું તાત્કાલિક સમારકામ કરાવો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહી. કહેવામાં આવે છે કે જ્યાં સુધી ઘરમાં તૂટેલું ફૂટેલું રહેશે તો સકારાત્મક ઉર્જાનો સંચાર બંધ થઇ જશે.
લટકાવવાવાળા કાચ ઘરમાં લગાવો
હેંગ મિરર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. બસ એટલું યાદ રાખો કે આવા દર્પણને ઘરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે ન લગાવો. તેનાથી સકારાત્મક ઉર્જા પાછી જતી રહે છે.
અસલી ફૂલ-છોડ લગાવો
તાજા ફૂલો ઘરમાં સજાવો, તેનાથી મનમાં ખુશી થાય છે અને ઘર સકારાત્મક ઉર્જા ભરેલા માહોલમાં ફેરવાઇ છે. જો તમે પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા જાળવી રાખવા ઇચ્છો છો તો સંતરા અથવા નીબૂના બોનસાઇને રૂમમાં લગાવો.
રૂમ ફાઉન્ટેન લવાવો
તેનાથી રૂમમાં સૌહાર્દ અને સુખ આવે છે.
ઘરમાં યોગ્ય કલર કરાવો
સારા અને ચિયર કરનાર રંગોથી કલર કરાવવાથી સકારાત્મક ઉર્જા આવશે અને મનમાં ખરાબ વિચાર પણ આવશે નહી. જેમ કે લીલો રંગ, પ્રકૃતિને દર્શાવે છે અને જીવન તથા આશાને આપે છે. પીળો રંગ શક્તિ આપે છે. લાલ અને પર્પલ રંગ લકી હોય છે. આ પ્રકારે, જીવનના રંગોને સુધારવા માટે ઘરના રંગોને યોગ્ય રીતે કરાવો.
ઘરમાં શાર્પ લાઇન અથવા કોર્નર ન બનાવો
ઘરમાં ગોળાઇમાં બનેલા ખૂણા સકારાત્મક ઉર્જા લાવે છે. ત્યાંથી કે પથારી અને ફર્નિચરના ખૂણા પણ ગોળાઇમાં હોવા જોઇએ.